રાજા મહારાજાઓ પરના રાહુલના નિવેદન મુદ્દે શક્તિસિંહનો પલટવાર, વડાપ્રધાનને લઈને આપ્યુ આ નિવેદન- Video
- GujaratOthers
- April 28, 2024
- No Comment
- 10
શક્તિસિંહ ગોહિલે રાહુલના રાજા મહારાજાઓના નિવેદનનું સમર્થન કરતા ભાજપ પર પ્રહાર કર્યા છે. શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યો કે જૂના વીડિયોને એડિટ કરીને રજૂ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીનું નિવેદન જૂદી રીતે રજૂ કરવામાં આવ્યુ છે અને રાહુલ ગાંધીએ દીકરીઓ અને માતાઓને લઈને કોઈ વિવાદી નિવેદન નથી કર્યુ. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યો કે પીએંમ મોદીએ દેશની સંસદમાં રાજા મહારાજાઓનું અપમાન કર્યુ. એ સમયે પીએમ મોદીએ કહ્યુ હતુ કે રાજા મહારાજાઓને અંગ્રેજો સાથે સાંઠગાંઠ હતી.
“કૃષ્ણકુમારસિંહજી મહારાજે પોતાનું રાજ્ય સૌથી પહેલા આપ્યું હતું”
આ તકે શક્તિસિંહે જણાવ્યુ કે આ દેશ માટે ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ તેમનુ રાજ્ય સરદાર પટેલને સોંપવાની પહેલ કરી હતી. ભાજપે બહેનો અને દીકરીઓનું અપમાન કર્યુ. ક્ષત્રિયોએએ તેમનુ અપમાન કરનાર રૂપાલાની ટિકિટ રદ કરવાની એક માગણી કરી હતી તે પણ ભાજપે ન સ્વીકારી તેવો પલટવાર શક્તિસિંગે કર્યો હતો.
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર નાણાંમંત્રી કનુ દેસાઈએ કર્યો પલટવાર- જુઓ Video