આજનું હવામાન : કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત ! ભારે પવનના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video
- GujaratOthers
- May 29, 2024
- No Comment
- 3
કાળઝાળ ગરમી વચ્ચે આજે થોડી રાહત મળે તેવી સંભાવના છે. આજે બુધવારે ગુજરાતમાં ગરમીના ત્રાસ વચ્ચે થોડી રાહત મળી શકે છે.ગુજરાતવાસીઓને ભીષણ ગરમીથી રાહત મળશે.આજથી બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગનું અનુમાન છે કે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. ગુજરાતમાં 25 – 30 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. જો કે આ સાથે જ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
વરસાદની આગાહી
આ સાથે જ ખેડૂતો માટે પણ ખૂબ સારા સમાચાર છે. ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે. જે મુજબ આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, ખેડા, ભાવનગર, બનાસકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લામાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટ, પંચમહાલ, કચ્છ, આણંદ, અમરેલી સહિતના 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.