સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

સાબરડેરી દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચારેક લાખ જેટલા પશુપાલકોને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવફેરને લઈ નિર્ણય કરતા વચગાળાના ધોરણે હાલમાં 9 મહિનાનો ભાવફેર ગત વર્ષના મુજબે ચૂકવી આપવામાં આવશે. જે ગુરુવારથી દૂધ મંડળીઓને ચૂકવી આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દૂધ ઉત્પાદકો ભાવફેર અંગે રાહ જોઈ રહ્યા હતા. એક તરફ શૈક્ષણિક સત્ર જૂન માસથી શરુ થયુ છે અને બીજી તરફ ચોમાસુ વાવણીની શરુઆત થઈ છે. આવી સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકોને માટે આર્થિક સંકડામણ અનુભવાતી હોય છે. જેને લઈ હવે સાબરડેરીએ આ અંગે દૂધ ઉત્પાદકોના હિતમાં વચગાળાનો રસ્તો નિકળતા ભાવફેર 9 માસના ધોરણે ચૂકવી આપવામાં આવશે.

258 કરોડ રુપિયા ચૂકવાશે

ભાવફેર અંગે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, આ દરમિયાન જ હવે સાબરડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે. સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટરને આપવામાં આવેલી સત્તાની રુએ આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીના એમડી દ્વારા જાહેર કરવામાં આવેલ પરીપત્ર મુજબ સાબરડેરી દ્વારા 258 કરોડ રુપિયા ભાવફેર રુપે પશુપાલકોને ચૂકવવામાં આવશે.

જૂના નિયામક મંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલ એપ્રિલ 2023 થી ડિસેમ્બર 2023 સુધીના 9 માસના રીટેઈન મની ચૂકવવામાં આવનાર છે. જ્યારે જાન્યુઆરી 2024 થી માર્ચ અંત સુધીના ત્રણ માસના રીટેન્શન મનીની રકમ અને આખા વર્ષની વાર્ષિક ચૂકવણીની રકમ પણ આવનારા સમયમાં ચૂકવવામાં આવશે.

ચેરમેન નિમણૂંક બાદ તમામ રકમ ચૂકવાશે

ગત માર્ચ માસમાં સાબરડેરીની સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી. દરમિયાન ડેરીના નિયામક મંડળના 16 પૈકી 15 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે એક ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. આમ સામાન્ય ચૂંટણી બાદ નવુ નિયામક મંડળ ચૂંટાઈ આવ્યું છે.

હવે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી માટે રાહ જોવામાં આવી રહી છે. હવે નવા ચેરમેનની નિમણૂંક થવા બાદ ભાવફેર અંગે આખા વર્ષની ચૂકવવાપાત્ર રકમની ચૂકવણી કરવામાં આવશે. જેમાં બાકીના ત્રણ માસની રકમ અને સંપૂર્ણ વર્ષની વાર્ષિક ચૂકવણીની રકમ ચૂકવાશે. આમ હવે ચેરમેન પદની ચૂંટણી યોજાવાની રાહ જોવાઈ રહી છે. જે બાદ પશુપાલકોને બાકીની વધુ રકમ મળશે.

 

આ પણ વાંચો:  ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ભરૂચ અને વડોદરામાં પૂરની સ્થિતિ અંગે “આપ”ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન, જુઓ વીડિયો

ભરૂચ અને વડોદરામાં પૂરની સ્થિતિ અંગે “આપ”ના ધારાસભ્ય ચૈતર…

વડોદરા : તાજેતરમાં વરસેલા ભારે વરસાદે ભરૂચ અને વડોદરામાં જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું હતું. બંને જિલ્લામાં વરસાદી પાણીએ કહેર વર્તાવ્યો હતો.…
રશિયા પછી હવે PM મોદી જશે યુક્રેનની મુલાકાતે, જાણો આ મુલાકાત કેમ છે મહત્વની

રશિયા પછી હવે PM મોદી જશે યુક્રેનની મુલાકાતે, જાણો…

રશિયાની મુલાકાત બાદ હવે વડાપ્રધાન મોદી યુક્રેનની મુલાકાતે જવાના છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ બે દિવસની રશિયાની મુલાકાતે ગયા હતા,…
AC Tips and tricks : ચિપચિપી ગરમીમાં AC ક્યા મોડ પર ચલાવવું, ટિપ્સ ફોલો કરવાથી મળશે ભેજથી રાહત

AC Tips and tricks : ચિપચિપી ગરમીમાં AC ક્યા…

ભેજથી રાહત આપવા અને આરામદાયક વાતાવરણ જાળવવા માટે ભેજવાળા ઉનાળામાં ACનો યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં અમે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *