Tv9ના અહેવાલની અસર, ચિલોડા-શામળાજી સિક્સ લેન હાઈવે ઓવરબ્રિજની મરામત શરુ કરાઈ, જુઓ

Tv9ના અહેવાલની અસર, ચિલોડા-શામળાજી સિક્સ લેન હાઈવે ઓવરબ્રિજની મરામત શરુ કરાઈ, જુઓ

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે અત્યંત જોખમી બન્યો છે. નવો જ નિર્માણ કરવામાં આવેલ સિક્સ લાઈન નેશનલ હાઈવેનું લોકાર્પણ કરવામાં આવે એ પહેલા જ તેની પર જીવલેણ ખાડા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકની ખાડા ચૂકવાની સહેજ બેદરકારી જીવ જોખમમાં મુકે એ હદે ખાડાઓ સર્જાયા છે. જેને લઈ સ્થાનિકો અને વાહન ચાલકોમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ ફેલાયો છે. આ દરમિયાન હવે નેશનલ હાઈવે પરના ખાડાઓની મરામત શરુ કરવામાં આવી છે. નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓને રિપેર કરવાની શરુઆત કરવામાં આવી છે.

ખાસ કરીને સૌથી વધારે જોખમી બનેલા ઓવરબ્રિજ પર સૌથી પહેલા મરામત હાથ ધરવામાં આવી છે. જેમાં જેશિંગપુરા અને પિલુદ્રા બાગ ઓવરબ્રિજને ઠીક કરવામાં આવ્યા છે. પ્રાંતિજ નજીકના ચાર ઓવરબ્રિજ પર અકસ્માત રોજે રોજ નોંધાઈ રહ્યા હતા. જેને લઈ વાહનચાલકોએ ઈજાઓ ભોગવવા સાથે વાહનના મોટા નુક્સાન વેઠવા પડતા હતા. આ દરમિયાન હવે સૌથી વધારે જે ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાતા હતા એ ઓવરબ્રિજના જોખમી ખાડાઓની મરામત કરવામાં આવી રહી છે. જોકે આ થીગડાઓ કેટલા સમય સુધી વાહનચાલકોને સલામતી આપશે એ સવાલ છે, પરંતુ હાલ તો કેટલાક જોખમી બ્રિજ પર થીગડાઓને લઈ મોટી રાહત સર્જાઈ છે.

આ પણ વાંચો:  T20 વિશ્વકપમાં બેટર સાથે મેદાન પર ઝઘડી પડનારા બોલરને ICCની આકરી સજા, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *