Travel Tips : નવરાત્રિમાં તમે પણ જઈ રહ્યા છો વૈષ્ણોદેવી, તો જાણો હેલિકોપ્ટર અને રોપ-વે કેવી રીતે બુક કરશો
- GujaratOthers
- September 30, 2024
- No Comment
- 6
નવરાત્રી શરુ થતાં શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરવા પહોંચી જાય છે. નવરાત્રી દરમિયાન માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. આ દરમિયાન દરેક શક્તિપીઠમાં ભક્તોની દર્શન માટે લાંબી લાઈનો જોવા મળતી હોય છે. જો તમે પણ માતા વૈષ્ણોદેવીના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો કેવી રીતે હેલિકોપ્ટર બુક કરશો. તેના વિશે જાણીએ.
જેનાથી તમે સરળતાથી માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકશો. એવું કહેવાય છે કે, ભૈરવ મંદિરમાં દર્શન કર્યા બાદ વૈષ્ણો દેવીની યાત્રા પૂર્ણ માનવામાં આવે છે. ભૈરવ મંદિર સૌથી ઉપર છે અહિ પહોંચવા માટે ખુબ ઉંચાઈ પર જવાનું રહે છે.
જેનાથી તમે સરળતાથી માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકશો. એવું કહેવાય છે કે, ભૈરવ મંદિરમાં દર્શન કર્યા બાદ વૈષ્ણો દેવીની યાત્રા પૂર્ણ માનવામાં આવે છે. ભૈરવ મંદિર સૌથી ઉપર છે અહિ પહોંચવા માટે ખુબ ઉંચાઈ પર જવાનું રહે છે.
વૈષ્ણોદેવી મંદિર માટે ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે તમારે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની વેબસાઈટ https://online.maavaishnodevi.org/ જવાનું રહેશે. જ્યાં અકાઉન્ટ બનાવી ત્યારબાદ હેલિકોપટર સર્વિસનો આપ્શન જોવા મળશે.
જેના પર કિલ્ક કર્યા બાદ તમારે અમુક ડિટેલ ભરવાની રહેશે. જે રીતે તમે તમામ માહિતી ભરશો તો તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરતા જ તમને મોબાઈલ નંબર કે પછી મેલ પર ઈ ટિકિટ મોકલવામાં આવશે. આ સાથે તમને કટરાથી ઓફલાઈન ટિકિટ પણ બુક કરી શકો છો.
જો વૈષ્ણો દેવી મંદિરથી ભૈરવ મંદિર સુધી જવા માટે તમે ઓનલાઈન રોપવે બુક કરી શકો છો. તમે ત્યાં જઈ લાઈનમાં ઉભા રહીને રોપવે બુક કરી શકો છો.
તમે 5 લોકો માટે ઓનલાઈન રોપવે બુક કરાવી શકો છો. જેના માટે તમારે https://online.maavaishnodevi.org/ પર જવાનું રહેશે.અહિ રોપવે સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે. રોપવે સર્વિસ પર ક્લિક કર્યા બાદ એક પેજ ઓપન કરી તેમાં તમામ માહિતી ભરવાની રહેશે.