T20 World Cup : ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ્દ થવાની સાથે જ લોડરહિલ મેદાન પર નોંધાઈ હેટ્રિક

T20 World Cup : ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ્દ થવાની સાથે જ લોડરહિલ મેદાન પર નોંધાઈ હેટ્રિક

T20 World Cup : ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ્દ થવાની સાથે જ લોડરહિલ મેદાન પર નોંધાઈ હેટ્રિક

આખરે ફ્લોરિડાના લોડરહિલ સ્ટેડિયમમાં જે ડર હતો તે બન્યું. ભારત અને કેનેડા વચ્ચેની મેચ પણ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. લોડરહિલમાં ભારત-કેનેડા મેચ રદ્દ કરવામાં આવી હતી અને તેનું મુખ્ય કારણ મેદાન ભીનું હતું. ફ્લોરિડામાં મેચ પહેલા મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે મેદાન ભીનું રહ્યું હતું. મેદાનને સૂકવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફ નિષ્ફળ ગયો. ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ્દ થવાની સાથે જ લોડરહિલ મેદાન પર એક અનિચ્છનીય હેટ્રિક પણ નોંધાઈ હતી.

મેચ રદ્દ થવાની હેટ્રિક

લોડરહિલમાં માત્ર ભારત અને કેનેડા વચ્ચેની મેચ જ રદ્દ નથી થઈ. આ પહેલા પણ અહીં વધુ બે મેચ રદ્દ કરવામાં આવી હતી. 11મી જૂને શ્રીલંકા અને નેપાળ વચ્ચેની મેચ ટોસ વિના રદ્દ કરવી પડી હતી. એ બાદ 14 જૂને અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. આ મેચ રદ્દ થતાં પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. જો આ મેચ થઈ હોત અને આયર્લેન્ડ મેચ જીતી ગયું હોત તો પાકિસ્તાનને સુપર 8માં પહોંચવાની આશા હતી પરંતુ વરસાદે તેમની આશા પર પાણી ફેરવ્યું હતું. આ રીતે, લોડરહિલમાં સતત ત્રણ મેચો રદ્દ કરવામાં આવી છે. હવે પાકિસ્તાન અને આયર્લેન્ડ 16 જૂને આ જ મેદાન પર રમવાના છે અને હવામાનને જોતા લાગે છે કે આ મેચ પણ રદ્દ થઈ જશે.

સ્ટેડિયમમાં ડ્રેનેજની સુવિધા ખૂબ જ ખરાબ

ફ્લોરિડામાં ભારે વરસાદ પડ્યો પરંતુ એ પણ સાચું છે કે લોડરહિલના સ્ટેડિયમમાં ડ્રેનેજની સુવિધા ખૂબ જ ખરાબ છે. એટલું જ નહીં આખા મેદાનને ઢાંકઈ શકાઈ એવું કવર જ નથી. ICC અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવા માંગે છે, પરંતુ જો અમેરિકાના મેદાનોની હાલત આવી જ રહેશે તો અહીં ક્રિકેટને પ્રોત્સાહન મળે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે.

સુપર-8માં ટીમ ઈન્ડિયા

ભારતીય ટીમ હવે સુપર-8માં પોતાની પ્રથમ મેચ 20મી જૂને અફઘાનિસ્તાન સામે રમવાની છે. ભારત સુપર-8ની બીજી મેચ 22 જૂને રમશે. આ મેચ કોની સમી રમાશે એ હજુ નક્કી થયું. જ્યારે સુપર-8માં ભારતની ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ 24મી જૂને રમાશે.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ અધવચ્ચે છોડી શુભમન ગિલ કેમ આવી રહ્યો છે ભારત? મળી ગયો સાચો જવાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *