T20 WC 2024 : જો સુપર-8 દરમિયાન વરસાદ પડે તો પરિણામ કઈ રીતે આવશે? જાણો આ નિયમો

T20 WC 2024 : જો સુપર-8 દરમિયાન વરસાદ પડે તો પરિણામ કઈ રીતે આવશે? જાણો આ નિયમો

T20 WC 2024 : જો સુપર-8 દરમિયાન વરસાદ પડે તો પરિણામ કઈ રીતે આવશે? જાણો આ નિયમો

ભારત-કેનેડા વચ્ચે લોડરહિલમાં રમાનાર ટી20 વર્લ્ડકપની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ચુકી છે. આ મેચમાં બંન્ને ટીમના સુપર-8માં કોઈ અસર પડી નથી કરાણ કે, ટીમ ઈન્ડિયા પહેલાથી જ ક્વોલિફાય કરી લીધું હતુ. જ્યારે કેનેડાની ટીમ પહેલાથી જ બહાર થઈ ચુકી છે. હવે ભારતીય ટીમ 20 જૂનના રોજ પોતાની પહેલી સુપર-8 મેચ રમશે. આ મેચ કેસિગ્ટન ઓવલ બારબાડોસમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાશે. હવે જો સુપર-8માં વરસાદ આવ્યો તો મેચનું પરિણામ શું આવશે તે વિશે જાણીએ.

સુપર-8માં કોઈ રિઝર્વ ડે નથી

રિપોર્ટ અનુસાર સુપર-8માં ગ્રુપ સ્ટેજની મેચની જેમ કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. એટલે કે, જો વરસાદ આવ્યયો તો મેચ તેજ દિવસે પૂર્ણ કરવાની રહેશે. મેચના પરિણામ માટે 5-5 ઓવરની મેચ રમાશે. જો તેમ છતાં પરિણામ ન આવે તો બંન્ને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સુપર-8માં દરેક ટીમ 3-3 મેચ રમશે. જો એક પણ મેચ વરસાદના કારણે રદ્દ થાય છે તો ટીમને નુકસાન થઈ શકે છે. કારણ કે, ગ્રુપ સ્ટેજની એક મેચ રહેશે નહિ.

 

 

બીજી સેમિફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી

પહેલી સેમિફાઈનલ અને ફાઈનલ મેચમાં વરસાદ આવે છે તો તે દિવસે પરિણામ માટે ઓછામાં આછી 10-10 ઓવરની મેચ રમવી પડશે. જો મેચ રમવી શક્ય ન બને તો આ મેચ રિઝર્વ ડેમાં ચાલ્યો જશે. પહેલી સેમિફાઈનલ અને ફાઈનલ માટે 190 મિનિટ અને રિઝર્વ ડે છે. જ્યારે બીજી સેમિફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. બીજી સેમિફાઈનલ માટે 250 મિનિટનો સમય મળશે. ખાસ વાત તો એ છે કે, બીજી સેમિફાઈનલ અને ફાઈનલ વચ્ચે માત્ર એક દિવસજનો તફાવત છે.બીજી સેમિફાઈનલ 27 જૂન અને ફાઈનલ 29 જૂનના રોજ રમાશે.

આ પણ વાંચો : T20 World Cup 2024 સુપર 8માં ભારતની મેચનું સંપૂર્ણ શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *