Rathyatra 2024 : રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રાનો વાજતે ગાજતે પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા, જુઓ Video

Rathyatra 2024 : રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રાનો વાજતે ગાજતે પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા, જુઓ Video

ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્વની જળયાત્રાનો પ્રારંભ થયો છે.ભગવાન જગન્નાથજી નિજ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી છે.જેમાં ગજરાજાઓ તેમજ વિવિધ ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે.

આ શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જશે.જ્યાં સંતો-મહંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં ગંગા પૂજન અને આરતી યોજાશે. ગંગાપૂજન બાદ સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે. આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરવામાં આવશે અને ત્યારબાદ મહાજલાભિષેક કરવામાં આવશે.

આ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી ગણેશજીના સ્વરૂપમાં અતિવિશિષ્ટ ગજવેશ શણગાર ધારણ કરી ભક્તોને દર્શન આપશે.આ મહોત્સવ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગદગુરુ અવિચલદેવાચાર્યજી મહારાજ, ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન સહિત અન્ય પ્રધાનો, સંસાદો, ધારાસભ્યો અનો કોર્પોરેટ સહિતના આગેવાનો હાજર રહેશે.મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત અગ્રણીઓ હાજર રહેશે.

પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી જળયાત્રા બાદ મોસાળમાં 15 દિવસ રહેવા જાય છે. ત્યારે આજે તેઓ ભાઈ બલરામ અને બનેહ સુભદ્રાજી સાથે સાંજે મોસાળમાં જશે.આ પ્રસંગે મંદિરથી સરસપુર સુધી ભક્તો તેમને શોભાયાત્રા સ્વરૂપે સરસપુર લઈ આવશે.આ યાત્રા સંપૂર્ણ સરસપુર વિસ્તારમાં ફરશે અને મોડી સાંજે ભગવાન રણછોડરાય મંદિરમાં પધરામણી કરશે.જ્યાં દરરોજ સવાર સાંજ ભગવાનને અલગ અલગ વાનગીનો મનોરથ ધરાવવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *