Rath Yatra 2024 : સાબરમતી નદીના જળથી 108 કળશ ભર્યાં, ગંગાપૂજન અને આરતીમાં હર્ષ સંઘવી સહિત રાજકીય નેતાઓ રહ્યાં હાજર, જુઓ Video

Rath Yatra 2024 : સાબરમતી નદીના જળથી 108 કળશ ભર્યાં, ગંગાપૂજન અને આરતીમાં હર્ષ સંઘવી સહિત રાજકીય નેતાઓ રહ્યાં હાજર, જુઓ Video

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો આજે વાજતે ગાજતે પ્રારંભ કરવામાં આવ્યો. હર્ષોલ્લાસ પૂર્વક જળયાત્રા ભૂદરના આરે પહોંચી હતી. સાબરમતીના કિનારે 108 કળશ લાવવામાં આવ્યા હતા. સાબરમતીના કિનારેથી સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગાપૂજન અને આરતી કરવામાં આવી.

આ મહોત્સવ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગદગુરુ અવિચલદેવાચાર્યજી મહારાજ, ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજર રહ્યા. સાબરમતી નદીનું જળ ભરી 108 કળશ મંદિરમાં લાવવામાં આવશે. આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરાશે. ત્યારબાદ ભગવાનન જગન્નાથજીનો મહાજળાભિષેક કરવામાં આવશે.

ભગવાન જગન્નાથ ગજવેશમાં આપશે દર્શન

ભગવાન જગન્નાથજીના મહાજળાભિષેક બાદ ભગવાન ગજવેશમાં ભક્તોને દર્શન આપશે. ત્યારબાદ તેઓ ભાઈ બલરામ અને બનેહ સુભદ્રાજી સાથે સાંજે મોસાળમાં જશે. સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં રોજ સવાર અને સાંજ અવનવી વાનગીઓનો મનોરથ ધરાવવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *