Rajkot Video : માલવિયાનગર રેલવે ફાટક ખુલ્લો અને આવી ગઇ ટ્રેન, જાણો પછી શું થયુ
- GujaratOthers
- June 19, 2024
- No Comment
- 9
રાજકોટના માલવિયાનગર રેલવે ફાટકમાં પાસે મોટી દુર્ઘટના ટળી છે. 18 જુનના રોજ રાત્રે રેલવે માલવિયાનગર પાસે ટ્રેન આવી ગઈ છતા ફાટક બંધ કરવામાં આવ્યો ન હતો. વાહનચાલકોની અવરજવર પણ ટ્રેનના પાટા પરથી સતત ચાલુ જ હતી. અચાનક જ ટ્રેન આવી જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
રાજકોટ માલવિયાનગર રેલવે ફાટકમાં 18 જુને એક મોટી દુર્ઘટના થતા ટળી છે. રેલવે ફાટક ખુલ્લો જ હતો. વાહનચાલકોની અવર જવર પણ ચાલુ હતી અને અચાનક જ ટ્રેન આવી ગઇ હતી. જો કે ટ્રેનના લોકો પાયલોટે સમય સુચકતા વાપરી ટ્રેનને ધીમી પાડી હતી. ટ્રેન ફાટકની નજીક જતા લોકોએ રેલવેના કર્મચારીને જગાડ્યો હોવાની માહિતી સામે આવી છે.
રેલવે કર્મચારી ફરજ પર સુઈ ગયો હોવાનો લોકોનો આક્ષેપ છે. વીડિયો વાયરલ થતા રેલવે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફાટકના ગાર્ડ સુમિત કુમારને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે DRM દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કોઈ દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ ? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.