![Rajkot Fire Accident : ભ્રષ્ટાચારમાં મનસુખ સાગઠિયા સહિત અનેક ભાગીદારો હોવાની ચર્ચા, 10 કરોડથી વધારેની અપ્રમાણસર સંપતિ મળી](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/198448-rajkot-fire-accident-798898357940097748864421392465837257161-643302809791402-191.jpg)
Rajkot Fire Accident : ભ્રષ્ટાચારમાં મનસુખ સાગઠિયા સહિત અનેક ભાગીદારો હોવાની ચર્ચા, 10 કરોડથી વધારેની અપ્રમાણસર સંપતિ મળી
- GujaratOthers
- June 20, 2024
- No Comment
- 14
રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડના કેસમાં હવે મોટા ખુલાસા થવાની શક્યતા છે. ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસમાં મોટા ખુલાસા થઇ શકે છે. મહત્વનું છે કે પાલિકાના TPO સાગઠિયા સાથે ભ્રષ્ટાચારમાં અનેક ભાગીદારો હોવાની ચર્ચા છે. તો એવી પણ ચર્ચા છે કે પૂર્વ પદાધિકારી અને પૂર્વ MLAના આશીર્વાદથી સાગઠિયા ઇન્ચાર્જમાંથી કાયમી TPO બન્યા હતા.
સાગઠિયાને જુલાઇ 2023માં કાયમી બહાલી મળી હતી.આપને જણાવી દઇએ કે, સાગઠિયા 29 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતો હતો. છેલ્લા 9 વર્ષથી સાગઠિયાનું એકહથ્થનું શાસન હતું. સાગઠિયા ટીપી સ્કીમ બનાવવી ગેરકાયદે બાંધકામ, માર્જીનને લગતા પ્રશ્નો અને જમીન ફેરબદલ જેવા કામોમાં ભ્રષ્ટાચાર કરતો હતો. તેની પાસેથી આવક કરતા 410 ટકા વધુ એટલે કે 10.55 કરોડની અપ્રમાણસર સંપતિ પણ મળી આવી છે. હાલ સમગ્ર કેસમાં કાર્યવાહી તેજ કરી દેવાઇ છે.
સાગઠીયાની કેટલી સંપતિ ?
TPO સાગઠિયા પાસે 10.55 કરોડની અપ્રમાણસર મિલકત મળી છે. જે તેની આવક કરતા 410.37 ટકા વધુ મિલકત છે. રાજકોટના સોખડામાં પેટ્રોલ પંપ છે. ગોંડલમાં બાબારી પેટ્રોલ પંપ છે. સોખડામાં ઇન્ડસ્ટ્રિયલ ગોડાઉન ગામેટામાં નિર્માણાધીન હોટલ છે. ગામેટા ગામે વિશાળ ફાર્મહાઉસ ધરાવે છે. ગામેટા અને ચોરડી ગામે જમીન છે. ઉર્જા ઇન્ડસ્ટ્રિયલમાં ગેસ ગોડાઉન છે. તેમજ બાલાજી ગ્રીનપાર્કમાં પ્લોટ છે. અનામીકા સોસાયટીમાં વૈભવી બંગલો છે. મધાપારની આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ છે. આ ઉપરાંત અમદાવાદમાં 2 વૈભવી ફ્લેટ છે. 2 હોન્ડા સિટી સહિત કુલ 6 વાહનો ધરાવે છે. 8 વખત 10 વધુ દેશોમાં પ્રવાસ કર્યો છે.