“PM મોદી અને અમિત શાહે શેરબજારને લઈને નિવેદનો કેમ કર્યા?” રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ, બંને સામે તપાસની કરી માગ

“PM મોદી અને અમિત શાહે શેરબજારને લઈને નિવેદનો કેમ કર્યા?” રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ, બંને સામે તપાસની કરી માગ

“PM મોદી અને અમિત શાહે શેરબજારને લઈને નિવેદનો કેમ કર્યા?” રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ, બંને સામે તપાસની કરી માગ

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પર શેરબજારને લઈને પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ભાજપને ખબર હતી કે 4 જૂને શું થશે. આ જ કારણ હતું કે ભાજપના સૌથી મોટા નેતાઓએ લોકોને શેરબજારમાં રોકાણ કરવા કહ્યું. આની તપાસ થવી જોઈએ.

રાયબરેલી અને વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાયેલા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે પહેલીવાર નોંધ્યું કે ચૂંટણી સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી. વડાપ્રધાને એક-બે વખત કહ્યું કે શેરબજાર ઝડપથી આગળ વધશે. તેમના સંદેશને નાણામંત્રી અને ગૃહમંત્રીએ પણ આગળ ધપાવ્યો હતો. ગૃહમંત્રીએ તો 4 જૂન પહેલા શેર ખરીદવાનું કહ્યું હતું. વડાપ્રધાને પણ તે જ કહ્યું અને 28 મેના રોજ તેનું ફરી એ જ કહ્યુ.

‘તેઓ જાણતા હતા કે પૂર્ણ બહુમત નહીં મળે’

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના સૌથી મોટા નેતાઓએ રિટેલ રોકાણકારોને સંદેશ આપ્યો. તેમની પાસે જાણકારી હતી કે ભાજપને પૂર્ણ બહુમતી નહીં મળે. તેને ખબર હતી કે 3-4 જૂને શું થવાનું છે. 30 લાખ કરોડનું નુકસાન થયું છે. હજાર લાખો કરોડ રૂપિયાનો અમુક પસંદગીના લોકોને ફાયદો થયો છે. અમે વડાપ્રધાન, ગૃહમંત્રી અને એક્ઝિટ પોલ કરાવનારાઓ સામે તપાસની માંગ કરીએ છીએ.

‘આ સ્ટોક બઝાર સૌથી મોટું કૌભાંડ છે’

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના આંતરિક સર્વેમાં 220 બેઠકો મળી રહી છે. પરંતુ, એક્ઝિટ પોલમાં વધુ બેઠકો જોવા મળી હતી. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ શા માટે પાંચ કરોડ રોકાણકારોને શેર ખરીદવાની સલાહ આપી? આનો ફાયદો ઉઠાવી રહેલા વિદેશી રોકાણકારો કોણ છે? આ સ્ટોક બજાર સૌથી મોટું કૌભાંડ છે. આની તપાસ માટે જેપીસીની રચના થવી જોઈએ.

હવે પહેલા જેવી સ્થિતિ નથી : કોંગ્રેસ સાંસદ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે આ મામલે સરકાર પર દબાણ બનાવીશું. જેપીસી તપાસની માંગ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા જે રીતે કામ કરતા હતા તે રીતે કામ કરી શકશે નહીં કારણ કે હવે પહેલા જેવી સ્થિતિ રહી નથી. કોંગ્રેસ માત્ર સરકારની વાત નથી કરતી. સ્ટોક માર્કેટમાં દેશના કરોડો લોકોને નુકસાન થયું છે.

આ પણ વાંચો: Elon Musk એ X પર પોર્ન વીડિયોઝ અપલોડ કરવાની આપી મંજૂરી- શું આ નિર્ણય બાદ X ને ભારતમાં કરાશે બેન?- વાંચો

 

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *