Narmada Rain : સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ઘટાડો, 5 દરવાજા બંધ કરાયા, 10 દરવાજા હજુ પણ ખુલ્લા, જુઓ Video

Narmada Rain : સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ઘટાડો, 5 દરવાજા બંધ કરાયા, 10 દરવાજા હજુ પણ ખુલ્લા, જુઓ Video

ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક જળાશયો છલકાયા છે. જેના પાણી અનેક વિસ્તારોમાં પણ ફરી વળતા વિનાશ વેર્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં આવેલો સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઘટાડો થતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં નર્મદા ડેમના 5 દરવાજા બંધ કરાયા છે.

બીજી તરફ નર્મદા ડેમના 10 દરવાજા હજુ પણ ખુલ્લા રાખવા પડ્યા છે. નર્મદા ડેમની સપાટી 134.33 મીટર પર છે. ઉપરવાસમાંથી 2 લાખ 41 હજાર 573 ક્યુસેક પાણીની આવક થઈ હતી. નર્મદા નદીમાં 1 લાખ 92 હજાર 500 ક્યુસેક પાણીની જાવક થઈ છે.

મોજ ડેમ થયો ઓવરફ્લો

રાજકોટમાં ધોધમાર વરસાદ થતા જળાશયોમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઉપલેટાના ગઢાળા ગામ પાસે આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો છે. મોજ ડેમ ઓવરફ્લો થતા મોજ નદીમાં પાણી છોડાયું છે. ગઢાળા ગામ પાસે આવેલા મોજ નદીનો કોઝવે ધોવાયો છે. તંત્ર દ્વારા માટી નાખી કોઝવેને રીપેર કરાયો હતો. મોટા પ્રમાણમાં પાણીની આવકને કારણે ફરી કોઝવે ધોવાયો છે.

 

Related post

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ નેતા ક્યાંના રાજકોટના કે પોરબંદરના ? જુઓ Video

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ…

આ મુદ્દો એટલા માટે ઉઠ્યો જ્યારે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલયના ઉદ્દધાટન કાર્યક્રમમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર…
TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે કલાકારોની એન્ટ્રી, નામ સાંભળીને લોકો થઈ જશે ખુશ!

TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી લોકોને હસાવી રહી છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો આ શોને ખૂબ જ…
બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં 20%ની અપર સર્કિટ, કિંમત આવી 34 રૂપિયા પર

બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં…

માઇક્રોકેપ કંપનીના શેર આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *