Mood Swings : શું તમને મુડ સ્વિંગ થાય છે? શરીરમાં આ વિટામિનની ઉણપ હોય શકે છે
- GujaratOthers
- August 24, 2024
- No Comment
- 11
ખુશ રહેવા માટે સારો મૂડ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તેનાથી દિવસ સારો જાય છે અને તણાવ ઓછો થાય છે. મૂડ સ્વિંગ તમારા સ્વાસ્થ્ય અને ઊંઘની પેટર્નને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં તે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે એ શોધો કે શા માટે તમને વારંવાર મૂડ સ્વિંગ થાય છે.
તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ક્યારેક હોર્મોન્સમાં ફેરફારને કારણે મૂડ સ્વિંગ થાય છે તો ક્યારેક ગંભીર બીમારી પણ મૂડ સ્વિંગનું કારણ બની શકે છે. આ સિવાય શરીરમાં અમુક વિટામિન્સ અને મિનરલ્સની ઉણપને કારણે પણ મૂડ સ્વિંગ થઈ શકે છે.
આપણા શરીરને અમુક પોષક તત્વોની જરૂર હોય છે, જે આપણને ખોરાકમાંથી મળે છે. આપણે માત્ર સ્વાદ માટે કે ભૂખ સંતોષવા માટે નહીં પણ શરીરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખોરાક લેવો જોઈએ. જ્યારે શરીરમાં વિટામીન અને મિનરલ્સની ઉણપ હોય છે ત્યારે તેની અસર આપણા કામ પર પડે છે.
આવી સ્થિતિમાં વસ્તુઓને યાદ રાખવી, ધ્યાન કેન્દ્રિત કરવું, પોઝિટિવ વિચારવું અને સ્પષ્ટ રીતે વિચારવું મુશ્કેલ બની જાય છે. આ વિટામિન્સની ઉણપથી મૂડ સ્વિંગ થઈ શકે છે. ઘણા રિચર્ચમાં એ પણ જાહેર થયું છે કે, શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપથી આપણા મૂડ પર અસર થાય છે.
મૂડ સ્વિંગનું સૌથી મોટું કારણ વિટામિન્સ અને પોષણનો અભાવ હોઈ શકે છે. શરીરમાં વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઇની ઉણપથી મૂડ સ્વિંગ થઈ શકે છે. આ સિવાય કેલ્શિયમ, ક્રોમિયમ, આયર્ન, ઝિંક, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સની ઉણપ પણ મૂડ સ્વિંગનું કારણ બની શકે છે.
ઘણી વખત પોષણની અછતને કારણે શરીરમાં અન્ય સમસ્યાઓ પણ થાય છે. તમારા આહારમાં આ બાબતોને ધ્યાનમાં રાખો. તેથી તમારા આહારમાં પોષક તત્વો તપાસો. જેમ કે તમે દિવસમાં કેટલા પોષક તત્વો લઈ રહ્યા છો. મીઠું, ખાંડ અને તેલના સેવન પર ધ્યાન રાખો. આ ઉપરાંત બહારનો ખોરાક ખાવાનું ટાળો અને તે મુજબ તમારા આહારનું આયોજન કરો. તમારા આહારમાં દૂધ, ડેરી ઉત્પાદનો, ફળો, શાકભાજી, બદામ અને સિડ્સનો સમાવેશ કરો. વધુ લીલા પાંદડાવાળા શાકભાજી અને આખા અનાજ ખાઓ.