Kutch Video : લખપતમાં પાછલા 15 દિવસમાં 12 લોકોના ભેદી બીમારીથી મોત થયા હોવાનો પૂર્વ તાલુકા પંચાયતના સભ્યએ કર્યો દાવો

Kutch Video : લખપતમાં પાછલા 15 દિવસમાં 12 લોકોના ભેદી બીમારીથી મોત થયા હોવાનો પૂર્વ તાલુકા પંચાયતના સભ્યએ કર્યો દાવો

કચ્છના લખપતમાં ભેદી રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યુ છે. જેના પગલે લોકોના મોત થઈ રહ્યાં છે. લખપત તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હુસેન રાયમાનો દાવો છે કે પાછલા 15 દિવસમાં 12 લોકોના મોત ભેદી બીમારીથી થયા છે. દર્દીઓમાં ન્યુમોનિયા તાવ જેવા લક્ષણો ધરાવતા હતા. આરોગ્ય વિભાગ ત્વરીત અસરથી કામગીરી કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.

એક પરિવારમાં 4 લોકોના મોત

પૂર્વ સભ્ય હુસેન રાયમાના જણાવ્યા અનુસાર લખપત પંથકમાં એક જ પરિવારના 4 લોકોના 2 દિવસમાં મૃત્યુ થયા છે. એક પરિવારના 3 યુવાનો સામાન્ય તાવ આવ્યો હતો. જેની સારવાર અર્થે ભૂજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા હતા. આ ઘટનાના પગલે રાજકોટ અને ગાંધીનગરથી મોકલાશે નિષ્ણાત તબીબોની ટીમને લખપત મોકલવામાં આવશે. મૃતકોના પરિવારને સહાય આપવા તાલુકા પંચાયત સભ્યની માગ છે.

Related post

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં ફરી 370 લાદવા NC-કોંગ્રેસ અમારી સાથે

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં…

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે, મોદી સરકાર સામે ઝેર ઓક્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર મોટું નિવેદન આપ્યું છે.…
પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં બ્લાસ્ટ ? જાણો લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ પાછળની હકીકત

પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં…

18 સપ્ટેમ્બરના રોજ લેબનોન અને સીરિયાના કેટલાક સરહદી વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. અચાનક શેરીઓ, બજારો અને ઘરોમાં લોકોના ખિસ્સા અને હાથમાં…
‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ શેરની કિંમતમાં 20 ટકાનો ઘટાડો, જુઓ તસવીરો

‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય…

ટેલિકોમ કંપની વડાફોન આઈડીયાને આજે મોટો ફટકો પડ્યો છે. સુપ્રિમ કોર્ટએ આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ટેલિકોમ કંપની દ્વારા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *