J&K : ઉધમપુરમાં આતંકવાદી હુમલો, CRPF ઈન્સ્પેક્ટર શહીદ

J&K : ઉધમપુરમાં આતંકવાદી હુમલો, CRPF ઈન્સ્પેક્ટર શહીદ

J&K : ઉધમપુરમાં આતંકવાદી હુમલો, CRPF ઈન્સ્પેક્ટર શહીદ

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જવાનો પર આતંકી હુમલા વધી રહ્યા છે. ઉધમપુરના ડુડુ બસંતગઢમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. આ હુમલો જમ્મુ-કાશ્મીરમા સીઆરપીએફ અને એસઓજીની સંયુક્ત ટીમ પર થયો હતો. આતંકી હુમલામાં એક ઈન્સ્પેક્ટર શહીદ થયો છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. આ પહેલા ગત, 6 ઓગસ્ટે પણ ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

આજે બપોરે 3 વાગ્યાની આસપાસ સુરક્ષા દળો પેટ્રોલિંગનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન જંગલમાં આતંકવાદીઓ સાથે સામનો થયો હતો. એન્કાઉન્ટરમાં સીઆરપીએફના એક ઈન્સ્પેકટર શહીદ થયા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આસપાસના વિસ્તારને મોટા પાયે કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ આતંકી હુમલામાં સીઆરપીએફ ઈન્સ્પેક્ટર કુલદીપ સિંહ શહીદ થયા છે. કુલદીપ હરિયાણાના રહેવાસી છે.

વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ વધી

છેલ્લા કેટલાક વર્ષો સુધી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ શાંત રહ્યાં હતા, પરંતુ હવે તેમના હુમલા જમ્મુ ક્ષેત્રમાં વધી રહ્યા છે. ઉધમપુરનો વિસ્તાર ઘણા વર્ષોથી કાશ્મીરની તુલનામાં શાંતિપૂર્ણ છે. પરંતુ હવે અહીં પણ હુમલા વધી ગયા છે. આ વિસ્તારમાં ખાસ કરીને પીર પંજાલ રેન્જના દક્ષિણી વિસ્તારોમાં આતંકી પ્રવૃત્તિમાં વધારો થયો છે. આ વિસ્તારોમાં ખૂબ જ ગાઢ જંગલો અને ઢોળાવવાળી ટેકરીઓ વાળો છે, જે આતંકવાદીઓને છુપાવવામાં મદદ કરે છે. જો કે, સુરક્ષા દળો સતત સ્પેશિયલ ઓપરેશન ચલાવીને આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે.

સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક

આ વિસ્તારમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓને જોતા સરકારે પણ કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે એન્કાઉન્ટર અને ઓચિંતા હુમલાઓ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

Related post

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ નેતા ક્યાંના રાજકોટના કે પોરબંદરના ? જુઓ Video

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ…

આ મુદ્દો એટલા માટે ઉઠ્યો જ્યારે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલયના ઉદ્દધાટન કાર્યક્રમમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર…
TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે કલાકારોની એન્ટ્રી, નામ સાંભળીને લોકો થઈ જશે ખુશ!

TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી લોકોને હસાવી રહી છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો આ શોને ખૂબ જ…
બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં 20%ની અપર સર્કિટ, કિંમત આવી 34 રૂપિયા પર

બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં…

માઇક્રોકેપ કંપનીના શેર આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *