![IRCTC Tour Package : સસ્તામાં કરો મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન, IRCTC લાવ્યું શાનદાર ટુર પેકેજ](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/199056-irctc-tour-package-390892733449979338406459-419271431-877037835290530515726834.jpg)
IRCTC Tour Package : સસ્તામાં કરો મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન, IRCTC લાવ્યું શાનદાર ટુર પેકેજ
- GujaratOthers
- June 23, 2024
- No Comment
- 12
વેકેશનમાં તમે અનેક પર્યટન સ્થળો ફર્યા હશો, પરંતુ હવે તમે ધાર્મિક સ્થળોનો પણ પ્રવાસ કરી શકો છો.આઈઆરસીટીસી પ્રસિદ્ધ મંદિરોના દર્શન માટે એક સસ્તું ટુર પેકેજ લઈને આવ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે, આ ટુર પેકેજ હેઠળ તમે ક્યાં ક્યાં ફરી શકશો. તેમજ આ પેકેજને કઈ રીતે બુક કરાવવાનું રહેશે.
જો તમે લાંબા સમયથી ધાર્મિક યાત્રાનો પ્લાન બનાવી રહ્યા છો તો, આઈઆરસીટીસીનું આ પેકેજ તમારા માટે બેસ્ટ રહેશે. આ પેકેજમાં તમે ઉજ્જૈનના પ્રસિદ્ધ સ્થળોના દર્શન કરી શકશો. તમે મહાકાલેશ્વર , ઓમકારેશ્વરના દર્શન કરી શકો છો, આ પેકેજ 5 રાત અને 6 દિવસનું છે.
IRCTCનું મહાકાળેશ્વર, મહેશ્વર ઇન્દોર રેલ ટૂર પેકેજમાં તમને મધ્યપ્રદેશના વારસા અને કુદરતી સૌંદર્યનો પણ નજારો જોવા મળશે. સામાન્ય રીતે આ ટુર પેકેજ દર શુક્રવારે શરુ થાય છે.
જો તમે પણ જ્યોર્તિલિંગના દર્શન માટે આ ટુર પેકેજ બુક કર્યું છે. તો તમારે રાજકોટ, સુરેન્દ્ર નગર, વીરમગામ,અમદાવાદ, નડિયાદ, આણંદ અને છાયાપુરી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસવા અને ઉતરવાનું રહેશે. આ પેકેજ બુક કરાવવા માટે તમારે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ બુક કરવાનું રહેશે.
હવે આ ટુર પેકેજના ભાડાની આપણે વાત કરીએ તો તેમાં અલગ અલગ ક્લાસ પ્રમાણે પેકેજ છે. જો તમારે સિંગલ મુસાફરી કરવી છે તો 42100 રુપિયા ચુકવવાના રહેશે. તેમજ જો તમે 3 લોકો માટે આ પેકેજ બુક કરાવ્યું છે તો તમારે 20500નો ચાર્જ ચુકવવાનો રહેશે. આ પેકેજ 17600થી શરુ થાય છે.