![IND vs ENG: શું ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે? જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો કોણ રમશે ફાઈનલ?](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/199844-ind-vs-eng-792451130-692779805378-857622956-758406393348461868406715641-874.jpg)
IND vs ENG: શું ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે? જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો કોણ રમશે ફાઈનલ?
- GujaratOthers
- June 27, 2024
- No Comment
- 4
![IND vs ENG: શું ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે? જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો કોણ રમશે ફાઈનલ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Providence-Stadium-Guyana-1.jpg)
ભારત અને ઈંગ્લેન્ડની ટીમો સતત બીજી વખત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં આમને સામને થવા જઈ રહી છે. ગત વખતે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં બંને વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. જોકે આ વખતે ઓસ્ટ્રેલિયાને ટૂર્નામેન્ટમાંથી બહાર કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય ઈંગ્લેન્ડ છે. રોહિત શર્મા ગયાનામાં જોસ બટલરની ટીમને હરાવીને તેનો બદલો લેવાનું વિચારી રહ્યો છે, પરંતુ આ મેચ પર પહેલાથી જ વરસાદનો ખતરો છે. મેચના એક દિવસ પહેલા વરસાદ પણ પડ્યો હતો. હવે મેચ પહેલા જ હવામાન બદલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ગયાનામાં હવામાનની સ્થિતિ શું છે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ 27મી જૂને સ્થાનિક સમય અનુસાર સવારે 10:30 કલાકે રમાવાની છે. આટલી મહત્વપૂર્ણ મેચ હોવા છતાં ICCએ તેના માટે કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. જો કે, વરસાદના કિસ્સામાં, ICCએ મેચ પૂર્ણ કરવા માટે 250 મિનિટનો વધારાનો સમય આપ્યો છે. મતલબ કે અધિકારીઓ પાસે આ મેચ પૂર્ણ કરવા માટે સાંજ સુધીનો સમય હશે. જો કે, સવારથી સાંજ સુધી વરસાદની સંભાવના છે, પરંતુ આ બધા જોખમો વચ્ચે હવામાન બદલાયું છે અને મેચને લઈને સારા સમાચાર આવ્યા છે. કેટલાક સ્પોર્ટ્સ પત્રકારોએ ગયાનાથી અહેવાલ આપ્યો કે રાત્રે કોઈ વાદળો નથી. ધારણાથી વિપરીત હજુ સુધી વરસાદ જોવા મળ્યો નથી. આકાશ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો ભવિષ્યમાં પણ આવું જ વાતાવરણ રહેશે તો સેમી ફાઈનલ મેચમાં કોઈ અડચણ નહીં આવે.
જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો?
ગયાનામાં વરસાદ થાય તો પણ ટીમ ઈન્ડિયા માટે ચિંતા કરવાની કોઈ વાત નથી. આ ટૂર્નામેન્ટ માટે ICC દ્વારા બનાવવામાં આવેલા નિયમો અનુસાર જો મેચ રદ્દ થશે તો ભારતીય ટીમ સીધી ફાઈનલમાં પહોંચી જશે. નિયમો અનુસાર, જો વરસાદના કારણે મેચ રદ થાય છે, તો સુપર-8 દરમિયાન તેના ગ્રુપમાં ટોચ પર રહેનારી ટીમ ફાઈનલમાં જશે. રોહિત શર્માની ટીમ સુપર-8માં 3 માંથી 3 મેચ જીતીહતી અને ટેબલમાં નંબર વન પર રહી હતી. આવી સ્થિતિમાં વરસાદની ચિંતા કરવાની જરૂર નથી.
આ પણ વાંચો: IND vs ENG : સેમીફાઈનલ પહેલા ઈંગ્લેન્ડના કોચે ICC પર ઉઠાવ્યા સવાલ, ભારતીય ટીમ વિશે કહી મોટી વાત