IND vs BAN , ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ભારતની ધમાકેદાર જીત, બાંગ્લાદેશને 280 રને હરાવ્યું
- GujaratOthers
- September 22, 2024
- No Comment
- 11
જેમાં ભારતે બાંગ્લાદેશને 280 રનથી હાર આપી છે. ભારતે બાંગ્લાદેશને જીત માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતા. આ ટાર્ગેટને પીછો કરવા મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમ રમતના ચોથા દિવસે લંચ પહેલા 234 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારતીય ટીમની ટેસ્ટ મેચની જીતનો હિરો આર અશ્વિન રહ્યો હતો. જેમણે બીજી ઈનિગ્સમાં 6 વિકેટ લીધી હચી. આ સાથે અશ્વિને સદી પણ ફટકારી હતી.અશ્વિને બીજી ઈનિગ્સમાં 6 વિકેટ, રવિન્દ્ર્ જાડેજાએ 3 અને જસપ્રીત બુમરાહે 1 વિકેટ લીધી હતી.
તમને જણાવી દઈએ કે, ત્રીજા દિવસે લંચ બાદ ભારતીય ટીમ બીજી ઈનિગ્સમાં 4 વિકેટ પર 287 રન જાહેર કર્યા હતા. ભારતે પોતાની પહેલી ઈનિગ્સમાં 376 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટ પૂર્ણ કરવા મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમ પહેલી ઈનિગ્સમાં 149 રનમાં સમેટાય ગઈ હતી. ભારતે પહેલી ઈનિગ્સમાં 227 રનની લીડ મળી હતી.
ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની શરુઆત સારી રહી હતી. ઓપનર બેટ્સમેન શાદમાન ઈસ્લામ અને જાકિર હસને પહેલી વિકેટ માટે 62 રનની પાર્ટનરશિપ કરી હતી.ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ પાર્ટનરશિપને તોડી હતી.
ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટ મેચમાં જીત મળી છે. ભારતે બાંગ્લાદેશને 280 રનથી હાર આપી છે. રનના મામલે બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. ભારતીય ટીમે 2 મેચની સીરિઝ 1-0 લીડ મેળવી છે. ભારતે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 234 રન જ બનાવી શકી હતી.