HULને મોટો ઝટકો, ઇન્કમટેક્સ વિભાગે આપી રૂ. 963 કરોડની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

HULને મોટો ઝટકો, ઇન્કમટેક્સ વિભાગે આપી રૂ. 963 કરોડની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

HULને મોટો ઝટકો, ઇન્કમટેક્સ વિભાગે આપી રૂ. 963 કરોડની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

દેશની અગ્રણી FMGC કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડને મોટો ઝટકો લાગ્યો છે. HULને આવકવેરા વિભાગ તરફથી ટેક્સ નોટિસ મળી છે. હિન્દુસ્તાન યુનિલિવરને આવકવેરા વિભાગ તરફથી રૂ. 962.75 કરોડની ટેક્સ નોટિસ મળી છે. આમાં રૂ. 329.3 કરોડનું વ્યાજ પણ સામેલ છે. ત્યારે જાણી લઈએ કે દેશની અગ્રણી FMCG કંપનીને નોટિસ કેમ મળી છે ?

સોમવારે એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, HULને નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ રકમ TDS ના કપાત પર લગાવવામાં આવી છે. GSK ગ્રૂપની સંસ્થાઓ પાસેથી ભારત HFD IPRના સંપાદન સંબંધિત ચૂકવણીઓ માટે રૂ. 3,045 કરોડનું રેમિટન્સ કરતી વખતે TDSની ચૂકવણી ન કરવા માટે ટેક્સ ચુકવવા માટે નોટિસ મોકલવામાં આવી છે.

2018માં હિન્દુસ્તાન યુનિલિવરે GSK પાસેથી રૂ. 3,045 કરોડમાં હોર્લિક્સ બ્રાન્ડ હસ્તગત કરી હતી. જેમાં ભારત, બાંગ્લાદેશ અને 20થી વધુ દેશોનો સમાવેશ થાય છે. આ એક્વિઝિશન દ્વારા બૂસ્ટ, માલ્ટોવા અને વિવા જેવી અન્ય GSKCH બ્રાન્ડ્સ પણ HULના પોર્ટફોલિયોમાં જોડાઈ.

HUL નોટિસ સામે અપીલ કરશે

કંપનીના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં પણ આવા ઘણા ઉદાહરણો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ઈન્ટેજીબલ એસેટનું અસલી લોકેશન તેના માલિકના લોકેશન સાથે જોડાયેલું હોય છે. તેથી, આવી ઈન્ટેજીબલ એસેટના વેચાણથી થતી આવક પર ભારતમાં કર લાદી શકાય નહીં. કંપની આ આદેશ સામે અપીલ કરશે. કંપનીએ કહ્યું કે તેને આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી માંગની વસૂલાત કરવાનો અધિકાર છે.

કંપનીના શેર પર શું અસર થઈ ?

કંપનીને નોટિસ મળ્યા બાદ આજે હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. કંપનીનો શેર આજે એટલે કે 27 ઓગસ્ટના રોજ માર્કેટ બંધ થયું ત્યારે 1.92 ટકાના ઘટાડા સાથે રૂ.2,767 પર બંધ થયો હતો. આજે કંપનીનો શેર રૂ.2806ના સ્તરે ખૂલ્યા હતા. ત્યાર બાદ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

Related post

Laughter Chef :  TRP ચાર્ટમાં ધૂમ મચાવે છે શો, જાણો તેના સ્પર્ધકો કેટલી વસૂલે છે ફી

Laughter Chef : TRP ચાર્ટમાં ધૂમ મચાવે છે શો,…

દર્શકો કલર્સ ટીવીના કુકિંગ રિયાલિટી શો ‘લાફ્ટર શેફ’ને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેમસ શેફ હરપાલ સિંહ સોખી આ શોના જજ…
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં નવરાત્રિ સુધી વરસાદથી નહીં મળે રાહત- Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં નવરાત્રિ સુધી…

રાજ્યવાસીઓેને હજુ નવેમ્બર સુધી વાવાઝોડાથી કોઈ રાહત નહીં મળે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી…
કલાકારોને પાન મસાલાની એડ કરતા જોઈને ગુસ્સે થયા મુકેશ ખન્ના, કહ્યું- પૈસા ફેંકો અને શો જુઓ

કલાકારોને પાન મસાલાની એડ કરતા જોઈને ગુસ્સે થયા મુકેશ…

જ્યારે પણ એક્ટર મુકેશ કન્ના કોઈ પણ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે, ત્યારે તેને ખુલ્લેઆમ વ્યક્ત કરવાનું પસંદ કરે છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *