Health Tips : વજન ઘટાડવા માટે તમારે ક્યારે ચાલવું જોઈએ, જમ્યા પહેલા કે પછી જાણો

Health Tips : વજન ઘટાડવા માટે તમારે ક્યારે ચાલવું જોઈએ, જમ્યા પહેલા કે પછી જાણો

Health Tips : વજન ઘટાડવા માટે તમારે ક્યારે ચાલવું જોઈએ, જમ્યા પહેલા કે પછી જાણો

વજન ઘટાડાવા માટે કેટલાક લોકો મહેનત કરે છે. જિમ, કસરત, ડાયટિંગ અને અન્ય વસ્તુઓની મદદ લે છે. પરંતુ ચાલવાથી વજન ઓછું થઈ શકે છે, દરરોજ ચાલવાથી શરીરને અનેક પ્રકારના લાભ મળે છે. કેટલાક અભ્યાસ અને રિસર્ચમાં દરરોજ ચાલવાથી સ્વસ્થ પણ રહીએ છીએ. તો ચાલો આજે આપણે જાણીએ ચાલવાથી શરીરને ક્યાં ક્યાં લાભ મળે છે અને વજન કઈ રીતે ઓછો થાય છે?

ચાલવાના ફાયદા

દરરોજ ચાલવાથી કે પછી અંદાજે 2000 સ્ટેપ ચાલવાથી માણસ ફિટ અને ગંભીર બીમારીઓથી બચી શકે છે. ચાલવાથી હાર્ટના રોગ , કેન્સર જેવી બિમારીઓથી બચી શકાય છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, રોજ 10,000 સ્ટેપ ચાલવાથી તમારું સ્વાસ્થ સારું રહે છે. તો ચાલો જાણીએ ક્યાં સમયે ચાલવું વધારે લાભદાયક છે.

ખાલી પેટે ચાલવાના ફાયદા

ખાલી પેટે ચાલવાથી શરીરનું બ્લ્ડ સર્કુલેશન યોગ્ય રહે છે. ખાલી પેટે ચાલવાથી મેટાબોલિઝમ મજબુત થાય છે. તેમજ શરીરને આખો દિવસ એનર્જી પણ મળે છે.વજન ઘટાડવા માટે ખાલી પેટે ચાલવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. જો કોઈ સતત 2 કલાક ખાલી પેટે ચાલે છે તો. તે 70 ટકા ફેટ બર્ન કરી શકે છો. સવારે ખાલી પેટે ચાલવાથી શરીરમાં વિટામિન-ડીની ઉણપ ઓછી થાય છે. ખાલી પેટે ચાલવા માટે બેસ્ટ સમય છે સવારે મોર્નિંગ વોક કરવું

જમ્યા બાદ ચાલવાના ફાયદા

જમ્યા બાદ ચાલવાથી ડાઈજેશન સારું રહે છે. જમ્યા બાદ ચાલવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તેમજએસિડિટી અને પેટ ફુલવાની સમસ્યામાંથી છુટકારો મળે છે. દરરોજ જમ્યા બાદ થોડી મિનિટ ચાલવાથી તણાવ પણ ઓછો થઈ શકે છે. જે લોકોને પેટની સમસ્યા છે. તેમણે જમ્યા બાદ જરુર ચાલવું જોઈએ.

ચાલવાથી માત્ર વજન કંટ્રોલ નથી થતો પરંતુ કોલેસ્ટ્રોલ , બલ્ડ પ્રેશર અને બ્લડ શુગર જેવી ગંભીર સ્વાસ્થ સમસ્યાઓને પણ નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ સિવાય હૃદયને સ્વસ્થ રાખવા માટે ચાલવું પણ સારું માનવામાં આવે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.

Related post

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં ફરી 370 લાદવા NC-કોંગ્રેસ અમારી સાથે

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં…

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે, મોદી સરકાર સામે ઝેર ઓક્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર મોટું નિવેદન આપ્યું છે.…
પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં બ્લાસ્ટ ? જાણો લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ પાછળની હકીકત

પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં…

18 સપ્ટેમ્બરના રોજ લેબનોન અને સીરિયાના કેટલાક સરહદી વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. અચાનક શેરીઓ, બજારો અને ઘરોમાં લોકોના ખિસ્સા અને હાથમાં…
‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ શેરની કિંમતમાં 20 ટકાનો ઘટાડો, જુઓ તસવીરો

‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય…

ટેલિકોમ કંપની વડાફોન આઈડીયાને આજે મોટો ફટકો પડ્યો છે. સુપ્રિમ કોર્ટએ આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ટેલિકોમ કંપની દ્વારા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *