Ganesh Chaturthi 2024 : ગણેશ ચતુર્થીનો તહેવાર કેટલા દિવસનો ઉજવવો જોઈએ 7 કે 10 ?

Ganesh Chaturthi 2024 : ગણેશ ચતુર્થીનો તહેવાર કેટલા દિવસનો ઉજવવો જોઈએ 7 કે 10 ?

Ganesh Chaturthi 2024 : ગણેશ ચતુર્થીનો તહેવાર કેટલા દિવસનો ઉજવવો જોઈએ 7 કે 10 ?

ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથની તિથિથી શરૂ થાય છે અને ભાદરવા મહિનાની છેલ્લી એકાદશીએ ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. કેટલાક લોકો ગણેશ ચતુર્થી માત્ર 7 દિવસ જ ઉજવે છે. તો કેટલાક લોકો આ તહેવાર 10 દિવસ સુધી ઉજવે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણેશ ચતુર્થીનો તહેવાર માત્ર 7 દિવસ જ ઉજવવો જોઈએ. ગણેશ ચતુર્થીના 7 દિવસનું ચક્ર ભગવાન ગણેશના જન્મ, પૂજા અને વિસર્જનને ચિહ્નિત કરે છે. શાસ્ત્રો અનુસાર, 7 દિવસનું આ ચક્ર ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે સૌથી શુભ સમય માનવામાં આવે છે.

શુ કહે છે જ્યોતિષી

જ્યોતિષ અરુણેશ શર્માએ જણાવ્યું છે કે, હાલમાં કેટલાક લોકો એકાદશીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરે છે, જ્યારે કેટલાક લોકો એકાદશીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનુ અનંત ચતુર્દશીના દિવસે (10 દિવસમાં) વિસર્જન કરે છે. જે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બિલકુલ ખોટું છે, કારણ કે એકાદશીના દિવસે વિસર્જન કર્યા પછી ગણેશ ચતુર્થીના તહેવારની સમાપ્તિ થાય છે અને દ્વાદશી તિથિના દિવસે પંચક કાળ શરૂ થાય છે અને પંચક કાળમાં કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે . તેથી, એકાદશીના દિવસે જ 7 દિવસની અંદર ગણેશ મૂર્તિનું વિસર્જન કરવું શ્રેષ્ઠ છે.

કયારે છે ગણેશ ચતુર્થી

પંચાંગ અનુસાર, ભાદરવા મહિનાની ચતુર્થી તિથિ શુક્રવાર, 06 સપ્ટેમ્બરે બપોરે 03:01 વાગ્યે શરૂ થશે. 7મી સપ્ટેમ્બરને શનિવારે સાંજે 05:37 કલાકે પૂર્ણ થશે. આવી સ્થિતિમાં, ઉદય તિથિ અનુસાર, 07 સપ્ટેમ્બર, શનિવારે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવાનો સમય સવારે 11:03 થી બપોરે 1:34 સુધીનો રહેશે. આ શુભ મુહૂર્તમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી શકાય છે.

આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન

  • ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને 7 દિવસ સુધી દરરોજ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.
  • ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે સવારે અને સાંજે બંને સમયે આરતી કરવામાં આવે છે.
  • ભગવાન ગણેશને મોદક, દૂધ, ફળ વગેરે અર્પણ કરવામાં આવે છે અને તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવે છે.
  • એકાદશીના દિવસે ભગવાન ગણેશનું વિસર્જન શુભ માનવામાં આવે છે, તેથી વિસર્જન એકાદશીના દિવસે જ કરવું જોઈએ.

ગણેશ ચતુર્થીનું મહત્વ

ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નો દૂર કરનાર ગણેશજીની પૂજા કરવાથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમને તમામ વિઘ્નોથી મુક્તિ પણ મળે છે. ગણેશ ચતુર્થીને નવી શરૂઆત અને નવા સાહસનું પ્રતીક માનવામાં આવે છે. લોકો આ દિવસે નવા કાર્યની શરૂઆત કરે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન ગણેશને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા પણ માનવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓ આ દિવસે ભગવાન ગણેશને તેમના અભ્યાસમાં સફળતા માટે પ્રાર્થના કરે છે.

Related post

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે મળશે આટલા રૂપિયા

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે…

સહારા ગ્રુપ સહકારી મંડળીઓના નાના થાપણદારોને સરકારે મોટી રાહત આપી છે. સરકારે હવે આ રોકાણકારોને આપવામાં આવેલી રકમમાં વધારો કર્યો છે.…
Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર, ગવર્મેન્ટ 7% ભાગ ઘટાડશે, DIPAMની મળી મંજૂરી

Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર,…

આ કંપની સંબંધિત મોટા સમાચાર બુધવારે અને 18 સપ્ટેમ્બરના રોજ આવ્યા છે. કંપનીને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)…
પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સંભળાવી

પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને…

અમદાવાદની ભોગ બનનાર પીડિતા અને આરોપી જયેન્દ્ર પરમાર ઈન્સ્ટાગ્રામ પરથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા. સગીરા અને આરોપી બંને દિવ્યાંગ (સાંભળી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *