Breaking News: ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં નાસભાગમાં 25થી વધારે લોકોના મોત, CM યોગીએ આપ્યા આદેશ
- GujaratOthers
- July 2, 2024
- No Comment
- 4
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ જિલ્લામાં થયેલા અકસ્માતની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે.
આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
આ બધા વચ્ચે હાથરસની ઘટનામાં મોટી કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી છે. આયોજક મંડળ સહિત સ્થાનિક વહીવટીતંત્ર સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર ઘટનાનો અહેવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મંગાવવામાં આવ્યો હતો.
આ દુ:ખદ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘણી એમ્બ્યુલન્સ પણ સ્થળ પર છે. મૃતકો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. રાજ્યના વડા યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે.
ADG આગ્રા અને કમિશનર અલીગઢને CMની સૂચના
જેમાં સીએમ વતી કહેવામાં આવ્યું છે કે સીએમએ હાથરસમાં થયેલા અકસ્માતમાં મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના કરી હતી. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા અને સ્થળ પર રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. તેમણે એડીજી આગ્રા અને કમિશનર અલીગઢના નેતૃત્વમાં ઘટનાના કારણોની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.
એટા જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસર ઉમેશ ચંદ્ર ત્રિપાઠી અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ કુમાર સિંહે આ અકસ્માત અંગે માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે નાસભાગમાં માર્યા ગયેલા 27 લોકોના મૃતદેહને એટા હોસ્પિટલના પોસ્ટમોર્ટમ હાઉસમાં મોકલવામાં આવ્યા છે.
સંત ભોલે બાબા આ દાવો કર્યો
સંત ભોલે બાબાના દાવા મુજબ તેઓ કાંશીરામ નગરના પટિયાલી ગામના રહેવાસી છે. બાળપણમાં તે પિતા સાથે ખેતીકામ કરતા હતા. જ્યારે તે યુવાન થયા ત્યારે તે પોલીસમાં જોડાયા. રાજ્યના એક ડઝન પોલીસ સ્ટેશનો ઉપરાંત તેને ઈન્ટેલિજન્સ યુનિટમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.
18 વર્ષની સેવા પછી VRS લીધું. હવે તે પોતાના ગામમાં એક ઝૂંપડીમાં રહે છે. તે ઉત્તર પ્રદેશ ઉપરાંત નજીકના રાજ્યોના લોકોને ભગવાનની ભક્તિના પાઠ ભણાવે છે.
આ પણ વાંચો: પહેલા વરસાદમાં જ બેટમાં ફેરવાયો સમગ્ર ઘેડ પંથક, એરિયલ શોટ્સ દ્વારા જુઓ પૂરના આ ખતરનાક દૃશ્યો- Video