Anant Radhika wedding : અનંત-રાધિકાના લગ્ન સમારોહના ભોજનમાં શું પીરસાશે ? નીતા અંબાણીએ આ દુકાનને આપ્યો છે ખાસ ઓર્ડર
- GujaratOthers
- July 4, 2024
- No Comment
- 11
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિધીઓ શરુ થઈ ચુકી છે. 13 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. અનંત અને રાધિકાના લગ્નને લઈ પહેલાથી જ ચર્ચાઓ શરુ થઈ ચુકી છે પહેલા તેના લગ્નનું કાર્ડ વાયરલ થયું હતુ. જેમાં અનંત -રાધિકાના લગ્ન સાથે જોડાયેલી તમામ માહિતી સામે આવી હતી. જેમાં સંગીત સેરેમની થી લઈ વેન્યુ સુધી લગ્નના દિવસના મેનુની પણ જાણકારી સામે આવી ચુકી છે.
અંબાણી પરિવારમાં 3 જુલાઈના રોજ મામેરું સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પરિવાર તેમજ અંગત લોકો પણ હાજર રહ્યા હતા.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ લગ્નમાં બોલિવુડ સ્ટાર પર પરફોર્મન્સ આપી શકે છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 13 જુલાઈના રોજ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાશે.અનંત અને રાધિકાના લગ્નના મેનુમાં વારણસીના કાશી ચાટ ભંડારની ચાટ પણ સામેલ છે. જેમાં ટિક્કી, ટમાટર ચાટ, પાલક ચાટ, ચના કચૌરી અને કુલ્ફી સામેલ છે. અહિ દેશ વિદેશના લોકો ચાટનો સ્વાદ લેવા માટે આવે છે.
અંબાણી પરિવારના લગ્નના મેનુંમાં એક ચાટ સ્ટોર પણ જોવા મળશે. આ ચાટ સ્ટોર વારણસીના પ્રસિદ્ધ કાશી ચાટ ભંડારની ચાટ સ્ટોલ પણ સામેલ હશે. આ ચાટની દુકાન પર લોકોની લાઈનો લાગે છે.
નીતા અંબાણી થોડા સમય પહેલા કાશી વિશ્વનાથના દર્શન કરવા વારણસી પહોંચ્યા હતા. જ્યાં તેમણે દર્શન કર્યા બાદ બનારસની ફેમસ ચાટનો સ્વાદ માણ્યો હતો. હવે આજ ચાટના દુકાન માલિક રાકેશ કેશરીને દિકરાના લગ્નમાં ચાટ બનાવવાનો ઓર્ડર આપ્યો છે.