Ahmedabad Video : રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપા એકશનમાં, અત્યાર સુધી 78 એકમ સીલ કરાયા
- GujaratOthers
- May 31, 2024
- No Comment
- 16
રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપાએ વિવિધ એકમોમાં ફાયર સેફ્ટી, NOC સહિતના મુદ્દાઓ પર તપાસની ઝૂંબેશ હાથ ધરી છે. શનિવારથી શરૂ થયેલી મનપાની કામગીરી હજુ યથવાત છે.અત્યાર સુધીમાં મનપાએ કુલ 476 એકમોમાં તપાસ કરી છે.જેમાં અત્યાર સુધી કુલ 78 એકમો સીલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 232 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 26 એકમો સીલ કરાયા છે. 8 ટ્યુશન ક્લાસિસ , 12 હોસ્પિટલ , 4 પાર્ટી પ્લોટ અને 2 હોટેલ સિલ કરવામાં આવી છે. આગામી સમયમાં પણ મનપાની આ ઝૂંબેશ યથાવત રહેશે. AMCના ટેપ્યુટી કમિશનરે કહ્યું કે ફાયર સેફ્ટી, NOC અને બીયુ પરમિશન મુદ્દે ચકાસણી થતી રહેશે.જો કોઈ ક્ષત્રિ સામે આવશે તો એકમો સામે કાર્યવાહી કરાશે.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો