Ahmedabad Video : રથયાત્રાના રુટ પર પોલીસે કરી બાઈક માર્ચ, કમિશનર સહિતના અધિકારીઓએ ડ્રોનથી કર્યું નિરીક્ષણ

Ahmedabad Video : રથયાત્રાના રુટ પર પોલીસે કરી બાઈક માર્ચ, કમિશનર સહિતના અધિકારીઓએ ડ્રોનથી કર્યું નિરીક્ષણ

અમદાવાદની રથયાત્રા જગન્નાથ પુરી પછીની ભારતની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા માનવામાં આવે છે. અમદાવાદની રથયાત્રામાં પણ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. હવે અમદાવાદની રથયાત્રાને થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે રથયાત્રાને લઇને મંદિર ટ્રસ્ટની સાથે પોલીસે પણ સુરક્ષાને લઇને તૈયારીઓ શરુ કરી દીધી છે.

તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ

અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે.જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

બાઈક માર્ચનું પણ યોજવામાં આવી

ખમાંસા ગેટથી લઈને આજુબાજુના વિસ્તારોનું ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પર પોલીસે બાઈક માર્ચ યોજવામાં આવી હતી.  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ સહિતના અધિકારીઓએ પણ રથયાત્રાના રૂટની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું છે.

નરેન્દ્ર મોદીના ફરીથી વડાપ્રધાન બનવાના ડરથી પાકિસ્તાને શાંતિની વાત શરૂ કરી, જાણો શું કહ્યુ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

નર્મદા વીડિયો  : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

નર્મદા વીડિયો : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો…

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે…
Rain Report :  છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી, સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain Report : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં…

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં…
Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય…

વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *