Shani Gochar 2024 : શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિઓને મળશે લાભ, દિવાળીમાં દેવી લક્ષ્મીની થશે કૃપા

Shani Gochar 2024 : શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિઓને મળશે લાભ, દિવાળીમાં દેવી લક્ષ્મીની થશે કૃપા

Shani Gochar 2024 : કુંભ રાશિમાં ગોચર કરતી વખતે શનિ શતભિષા નક્ષત્રથી ચોથા તબક્કામાં પૂર્વવર્તી ગતિમાં પ્રવેશ કરી રહ્યો છે. 3 ઓક્ટોબરે નવરાત્રિના પ્રથમ દિવસે શનિ મહારાજ શતભિષા નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે જેનો સ્વામી રાહુ છે. રાહુના નક્ષત્રમાં શનિનું ગોચર પણ નવરાત્રિના દિવસોમાં ખૂબ જ અસરકારક છે, ખાસ કરીને જેઓ તંત્ર મંત્રના અભ્યાસી છે. તેમજ જે લોકોની શનિની મહાદશા ચાલી રહી છે અથવા રાહુની દશાથી પરેશાન છે.

શનિના આ ગોચર દરમિયાન દેવીની પૂજા કરવાની સાથે રાહુ અને શનિને શાંત કરવાના ઉપાય પણ કરવા જોઈએ. આનાથી તેમને વિશેષ લાભ મળશે. 85 દિવસ સુધી ગોચર રહેવાનું છે.

5 રાશિને મળશે લાભ

શનિદેવ 3જી ઓક્ટોબરે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. શનિ આ વર્ષે કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને આ રાશિમાં ગોચર કરતી વખતે તે શતભિષા નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. અહીં, 3 ઓક્ટોબર, ગુરુવારે બપોરે 2:58 કલાકે શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્ર છોડીને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 27 ડિસેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. જેની કુંડળીમાં શનિ ખરાબ છે તેના માટે આ પડકારરુપ રહેશે. મેષ, સિંહ, તુલા, ધન, મકર રાશિને લાભ થવાના યોગ છે.

આના માટે જરુરી છે કે શનિ જેમ ચાલે તેમ ચાલવું પડશે. સમયસર કામ પૂરા કરવા પડશે. કામમાં મહેનત વધારવી પડશે અને વધારે ફળની ચિંતા ના કરવી જોઈએ. હા…પણ એ છે કે તેના ક્યાં ઉપાયો કરવા જોઈએ. રોજ પિપળાને જ ચડાવવું જોઈએ. હનુમાન ચાલીસા અને બજરંગબાણના રોજ પાઠ કરવા જોઈએ અને શનિવારના દિવસે ચમેલી અને સિંદુર હનુમાનજીને ચડાવવા જવું જોઈએ. જો આ વસ્તુઓ કરશો તો આ ગોચર તમારી તરફેણમાં સારા સાબિત થશે.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *