શૈલેષ લોઢાએ TMKOCશો છોડવા પાછળ ખુલીને વાત કરી , કહ્યું પૈસાના કારણે નહીં આ કારણે શો છોડ્યો
- GujaratOthers
- September 22, 2024
- No Comment
- 11
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યાને શૈલેષ લોઢાનો વર્ષો થઈ ચૂક્યા છે. તેમણે આ શોમાં 14 વર્ષથી વધુ સમય કામ કર્યું હતુ. અભિનેતાએ કહ્યું કેવી રીતે અસિત મોદી તેની સાથે ગેરવર્તૂણ કરી હતી.
સ્ટારે શો છોડ્યો તેનું કારણ પૈસા નહિ પરંતુ અલગ જ કારણ હતુ. એ કારણ પ્રોડ્યુસર અસિત મોદી ખુદ હતા. તો ચાલો જાણીએ એવી શું વાત થઈ કે, શૈલેષ લોઢાએ શો જ છોડી દીધો હતો.
શૈલેશ લોઢાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું સબ ટીવી પર એક શો આવ્યો હતો, ગુડ નાઈટ ઈન્ડિયા આ શો માટે તેમણે મને એક સેલિબ્રિટી મહેમાન તરીકે એક એપિસોડ માટે બોલાવ્યો હતો. અને હું તેનું શૂટિંગ કરીને આવી ગયો હતો.
પ્રોડ્યુસર (અસિત મોદી)નો મને ફોન આવ્યો તમે કઈ રીતે ત્યાં ગયા.હું ત્યાં એક મહેમાન તરીકે ગયો હતો હું એપિસોડ માટે ગયો ન હોતો ગયો. પ્રોડ્યુસરે મને અભદ્ર શબ્દો કહ્યા હતા. જે મારાથી સહન થયા ન હતા. 17 ફ્રેબુઆરી 2022ની આ વાત છે. મે મેલ કરી દીધો. હું કામ કરવા માંગતો નથી.
જો કેઘણા કલાકારોએ લાંબા સમયથી શોને અલવિદા કહી દીધું છે, જેમાં શૈલેષ લોઢાનો સમાવેશ થાય છે, જેઓ તારક મહેતાનું પાત્ર ભજવતા હતા.તેણે કહ્યું, ‘તે જે રીતે મારી સાથે વાત કરી તે હું સહન કરી શક્યો નહીં.