આતિશી આજે દિલ્હીમાં CM પદના લેશે શપથ, આ 5 ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે

આતિશી આજે દિલ્હીમાં CM પદના લેશે શપથ, આ 5 ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે

આતિશી આજે દિલ્હીમાં CM પદના લેશે શપથ, આ 5 ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે

મુખ્યમંત્રી આજે એટલે કે શનિવારે દિલ્હીમાં શપથ લેશે. નામાંકિત મુખ્યમંત્રી આતિશી લગભગ 4:30 વાગ્યે CM તરીકે શપથ લેશે, સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની સાથે 5 મંત્રીઓ પણ શપથ લેશે. આતિશીની કેબિનેટમાં ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતનો સમાવેશ થશે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.

આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે લેશે શપથ

કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ વિધાનસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં આતિશીના નામને મંજૂરી આપવામાં આવી હતી. આતિશી અગાઉની કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી હતા. હવે શનિવારે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસમાં પણ શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આતિશીએ સૌથી વધુ મંત્રાલયો સંભાળ્યા છે

આતિશીને કેજરીવાલના સાથી અને વિશ્વાસુ માનવામાં આવે છે. અન્ના આંદોલનના સમયથી તેઓ કેજરીવાલની સાથે છે. તેણે સરકારમાં વધુમાં વધુ મંત્રાલયો પણ સંભાળ્યા હતા અને કેજરીવાલ જેલમાં ગયા ત્યારથી તેઓ પક્ષ અને સરકાર સાથે સંબંધિત મોટાભાગના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા રહ્યા છે. મંત્રી બનતા પહેલા આતિશીએ પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાના શિક્ષણ માટે સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું.

2020માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આતિશી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી 2023માં કેજરીવાલે તેમને પોતાની કેબિનેટમાં સામેલ કર્યા. 2020ની ચૂંટણીમાં પાર્ટીએ તેમને દિલ્હીની કાલકાજી વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે આ બેઠક પર ભાજપના ઉમેદવાર ધરમવીર સિંહને હરાવ્યા હતા.

આતિશી ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે

આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. આ પહેલા ભાજપના દિવંગત અને દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસના શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. સુષ્મા સ્વરાજનો કાર્યકાળ ઘણો નાનો હતો જ્યારે શીલા દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. હવે દિલ્હીની કમાન આતિષી પાસે જવાની છે. કેબિનેટમાં જે ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે તે મોટાભાગના જૂના ચહેરાઓ છે જેઓ અગાઉ મંત્રી રહી ચૂક્યા છે. મુકેશ અહલાવત પ્રથમ વખત મંત્રી તરીકે શપથ લેશે.

કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને આ વર્ષે નવેમ્બરમાં જ વિધાનસભા ચૂંટણી કરાવવાની માગ કરી છે. પાર્ટીએ કહ્યું છે કે, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં નવેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેથી તેણે બંને રાજ્યોમાં એકસાથે ચૂંટણી કરાવવાનો અનુરોધ કર્યો છે.

 

Related post

Laughter Chef :  TRP ચાર્ટમાં ધૂમ મચાવે છે શો, જાણો તેના સ્પર્ધકો કેટલી વસૂલે છે ફી

Laughter Chef : TRP ચાર્ટમાં ધૂમ મચાવે છે શો,…

દર્શકો કલર્સ ટીવીના કુકિંગ રિયાલિટી શો ‘લાફ્ટર શેફ’ને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેમસ શેફ હરપાલ સિંહ સોખી આ શોના જજ…
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં નવરાત્રિ સુધી વરસાદથી નહીં મળે રાહત- Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં નવરાત્રિ સુધી…

રાજ્યવાસીઓેને હજુ નવેમ્બર સુધી વાવાઝોડાથી કોઈ રાહત નહીં મળે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી…
કલાકારોને પાન મસાલાની એડ કરતા જોઈને ગુસ્સે થયા મુકેશ ખન્ના, કહ્યું- પૈસા ફેંકો અને શો જુઓ

કલાકારોને પાન મસાલાની એડ કરતા જોઈને ગુસ્સે થયા મુકેશ…

જ્યારે પણ એક્ટર મુકેશ કન્ના કોઈ પણ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે, ત્યારે તેને ખુલ્લેઆમ વ્યક્ત કરવાનું પસંદ કરે છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *