Ambaji Video : ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, કરોડોનો વીમો, QR કોડથી જાણી શકાશે માહિતી, ST વિભાગે 10 હંગામી બસ સ્ટેશન બનાવ્યા

Ambaji Video : ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, કરોડોનો વીમો, QR કોડથી જાણી શકાશે માહિતી, ST વિભાગે 10 હંગામી બસ સ્ટેશન બનાવ્યા

Ambaji Video : ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, કરોડોનો વીમો, QR કોડથી જાણી શકાશે માહિતી, ST વિભાગે 10 હંગામી બસ સ્ટેશન બનાવ્યા

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થયો છે. જિલ્લા કલેકટર રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો છે. મેળામાં 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. મા અંબાના દર્શને આવતા ભક્તો માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી આવતા લાખો માઇભક્તોની સુવિધા માટે વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિર ટ્રસ્ટ પૂરુ પાડશે વીમા કવચ

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા સંદર્ભે આવનારા લાખો માઇભક્તોની જાનમાલની ખાસ સુરક્ષા અંગે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વીમો લેવામાં આવ્યો છે. ભાદરવી પુનમના મેળામાં અંબાજી ધામથી 20 કિલોમીટરના વિસ્તારમાં જો કોઇ માનવસર્જીત કે કુદરતી હોનારતની ઘટના બને તો યાત્રીકોને વિમાનું લાભ મળી શકે છે. જેનાં માટે મંદિર ટ્રસ્ટે કરોડો રુપિયાની રકમનો વિમો ઉતરાવ્યો છે. વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણના અનુસાર નક્કી કરવામાં આવી.

QR કોડ દ્વારા જાણી શકાશો પ્રસાદથી લઈ પાર્કિંગ સુધીની માહિતી

અંબાજી આવી રહેલા ભક્તોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આ વખતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. ટ્રસ્ટ દ્વારા આ વખતે સૌ પ્રથમ વખત QR કોડ જાહેર કરવામાં આવ્યો છે. આ QR કોડમાં યાત્રિકોને અપાતી તમામ સુવિધાઓનો સમાવેશ કરાયો છે. એટલું જ નહીં અંબાજી મંદિરના દર્શનના સમયની સાથે કઇ સુવિધા કઇ જગ્યાએ ઉપલબ્ધ રહેશે તેનું પણ માર્ગદર્શન QR કોડ થકી મળી શકશે. મતલબ કે ફક્ત એક ક્લિકથી જ યાત્રિકો જરૂરી તમામ સુવિધાથી અવગત થઇ શકશે. આ સાથે જ કોઇ પણ પ્રકારની હાલાકી વગર આરામથી માના દર્શન કરી શકશે.

ST વિભાગે 10 હંગામી બસ સ્ટેશન બનાવ્યા

બીજી તરફ રાજ્યનું ST તંત્ર પણ મેળાને લઇને સજ્જ બન્યું છે.પગપાળા અંબાજી આવતા મુસાફરોને પોતાના વતન પરત જવા માટે ST વિભાગ દ્વારા 1 હજાર બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે અંબાજીમાં વિવિધ સ્થળે 10 હંગામી બસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યા છે.

યાત્રિકો માટે બસની વ્યવસ્થા 3 વિભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં દાંતા તરફ જવા માટે હંગામી બસ સ્ટેશન ઉભું કરાયું છે. તો ખેડબ્રહ્મા,અમદાવાદ જવા માટે GMDC વિસ્તારમાં બસો ઉભી રહેશે. તો આબુ રોડ, પાલનપુર, ડીસા જવા માટે ગબ્બર સર્કલ પર વ્યવસ્થા કરાઇ છે. ભાદરવી પૂનમના મેળાને લઇને ST વિભાગનો 5 હજાર કર્મચારીઓનો સ્ટાફ ખડેપગે રહેશે.

Related post

મહિલા બોસે 58 જુનિયર સાથે બાંધ્યા શારીરિક સંબંધો, 70 કરોડની લાંચ લીધી, મહિલા અધિકારીને 13 વર્ષની જેલ

મહિલા બોસે 58 જુનિયર સાથે બાંધ્યા શારીરિક સંબંધો, 70…

એક ચીની મહિલા અધિકારી પર તેના સ્ટાફના 58 જુનિયરો સાથે શારીરિક સંબંધ બાંધવાનો, ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો અને મોટી લાંચ લેવાનો આરોપ…
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ સરકારી યોજનાઓ છે ફાયદાકારક

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ સરકારી યોજનાઓ…

ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકાર વિવિધ લોકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે. જેમાં કેટલીક યોજનાઓ…
Profitable Share: આ સૂતેલા શેર પર એક્સપર્ટની નજર, 20%થી વધુ મળશે રિટર્ન, બેંકનો છે શેર

Profitable Share: આ સૂતેલા શેર પર એક્સપર્ટની નજર, 20%થી…

છેલ્લા 3 મહિનાથી નિષ્ક્રિય પડેલી ખાનગી ક્ષેત્રની બેંકના શેરમાં નિષ્ણાતો તેજીમાં હોવાનું જણાય છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે બેન્કના શેર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *