અંગ્રેજો માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા એ 74,000 ભારતીય સૈનિકોનું શું થયું ? તેમના વિશે તમે શું જાણો છો ?
- GujaratOthers
- September 8, 2024
- No Comment
- 6
પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ બ્રિટિશ સામ્રાજ્ય વતી યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ, પ્રથમ વિશ્વ યુદ્ધની કહાની હજુ સુધી ક્યારેય ભારતીય દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવી નથી. 1914 થી 1918 સુધી ભારતના 11 લાખ સૈનિકો વિદેશમાં લડવા ગયા હતા. તેમાંથી 74,000 ક્યારેય પાછા ફર્યા નહીં. તેમને ફ્રાન્સ, ગ્રીસ, ઉત્તર આફ્રિકા, પેલેસ્ટાઈન અને મેસોપોટેમિયામાં જ દફનાવવામાં આવ્યા હતા.