વડોદરામાં રાજકારણીઓ સામે પૂર પીડિતોનો રોષ, ઠેર ઠેર ફરમાવી પ્રવેશબંધી

વડોદરામાં રાજકારણીઓ સામે પૂર પીડિતોનો રોષ, ઠેર ઠેર ફરમાવી પ્રવેશબંધી

વડોદરામાં પૂરની સ્થિતિ બાદ નાગરિકોમાં સ્થાનિક રાજકારણીઓ સામે વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. અકોટાના પુરુષોત્તમ નગરના લોકોએ ગેટ બહાર નેતાઓએ પ્રવેશવું નહીં તેવા બેનર લટકાવ્યા છે. પુરુષોત્તમ નગર સોસાયટીમાં વિશ્વામિત્રીનુ 4 ફૂટ પાણી ભરાયુ તે સમયે એક પણ નેતા સ્થાનિક રહીશોની મદદે નહિં આવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. પૂર બાદ અનેક વિસ્તારમાં નાગરિકોના રોષનો ભોગ સ્થાનિક રાજકારણીઓ બની રહ્યા છે. ત્યારે વધુ એક સોસાયટીમાં રાજકારણીઓનો વિરોધ દર્શાવતા બેનરો લગાવાયા છે.

જો કે વડોદરામાં લોકોમાં રાજકારણીઓ સામે ફાટી નીકળેલા લોકરોષ અંગે વડોદરાના પ્રભારી પ્રધાન અને ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પુછવામાં આવતા તેમણે કહ્યું કે, લોકોને જેમના પર લાગણી હોય, વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તેમની સામે જ ગુસ્સો ઠાલવી શકે. એ એની ફરિયાદ એને જ કરી શકે. આ કોઈ વ્યક્તિ તકલીફ ઠાલવે તેને નેગેટિવ રીતે ના લઈ શકાય.

Related post

IND vs BAN:  ચેન્નાઈ ટેસ્ટમાં વિરાટ કોહલીએ કરી એવી મોટી ભૂલ, કેપ્ટન રોહિત શર્મા થયો ગુસ્સે

IND vs BAN: ચેન્નાઈ ટેસ્ટમાં વિરાટ કોહલીએ કરી એવી…

લાંબા વિરામ બાદ ટેસ્ટ ફોર્મેટમાં પરત ફરેલા વિરાટ કોહલી માટે ચેન્નાઈ ટેસ્ટ કંઈ ખાસ ન રહી. પ્રથમ દાવની જેમ બીજી ઈનિંગમાં…
Big Order: આ ગુજરાતી કંપનીને ભારત સરકારે આપ્યો મોટો ઓર્ડર, શેરનો ભાવ છે 58 રૂપિયા, સ્ટોકમાં જોવા મળી ભારે ખરીદી

Big Order: આ ગુજરાતી કંપનીને ભારત સરકારે આપ્યો મોટો…

શેરબજારમાં કન્સ્ટ્રક્શન કંપનીએ NHPC તરફથી સિક્કિમમાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર 240 કરોડ રૂપિયાનો છે. આ ઓર્ડરની વચ્ચે…
IND vs BAN: વિરાટ કોહલીએ બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન તેંડુલકર બાદ આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

IND vs BAN: વિરાટ કોહલીએ બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન…

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દાવમાં 227 રનની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *