31 ઓગસ્ટના મહત્વના સમાચાર : ગુજરાત પરથી અસના વાવાઝોડાનું સંકટ ટળ્યું, હાલ અરબી સમુદ્રમાં 90 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન ઓમાન તરફ ચક્રવાત જાય તેવી સંભાવના
- GujaratOthers
- August 31, 2024
- No Comment
- 12
ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે વાવાઝોડાનું સંકટ ટળ્યુ છે. અરબી સમુદ્રમાં 90 કિમીની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. પવન ઓમાન તરફ જતા ચક્રવાતમાં પરિણામે તેવી સંભાવના છે. હાલ તાંડવ મચાવતી સિસ્ટમ અરબી સમુદ્રમાં ભળી જતા વરસાદનું જોર ઘટ્યુ છે. જો કે ઠેર ઠેરથી વરસાદ બાદની તારાજીના દૃશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં સિઝનનો કૂલ 111 ટકા વરસાદ છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં 177 ટકા તો ઉત્તર ગુજરાતમાં 88 ટકા જ વરસાદ થયો છે. હજુ પણ ગુજરાતમાં વરસાદની ઘટ છે. રાષ્ટ્રીય સમાચારોની વાત કરીએ તો દિલ્હીમાં આજથી જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદ છે. પીએમ મોદી આ પરિષદનું ઉદ્દઘાટન કરશએ. સુપ્રીમ કોર્ટને 75 વર્ષ પૂરા થયાની સ્મૃતિમાં પોસ્ટલ સ્ટેમ્પ અને સિક્કા પણ જાહેર કરશે. ચાલુ નાણાકીય પ્રથમ ત્રિમાસિકમાં GDP ગ્રોથ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળાની સરખામણીએ તળિયે છે. 7.8 ટકાથી 6.7 ટકા GDP પહોંચ્યો છે. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ દબદબો જાળવી રાખતા એક જ દિવસમાં દેશને ચાર મેડલ અપાવ્યા છે. 10 મીટર શુટિંગમાં અવનીએ લેખારાએ ગોલ્ડ જીતી દેશને ગૌરવ અપાવ્યુ છે.