Narmada Rain : સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ઘટાડો, 5 દરવાજા બંધ કરાયા, 10 દરવાજા હજુ પણ ખુલ્લા, જુઓ Video

Narmada Rain : સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ઘટાડો, 5 દરવાજા બંધ કરાયા, 10 દરવાજા હજુ પણ ખુલ્લા, જુઓ Video

ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક જળાશયો છલકાયા છે. જેના પાણી અનેક વિસ્તારોમાં પણ ફરી વળતા વિનાશ વેર્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં આવેલો સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઘટાડો થતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં નર્મદા ડેમના 5 દરવાજા બંધ કરાયા છે.

બીજી તરફ નર્મદા ડેમના 10 દરવાજા હજુ પણ ખુલ્લા રાખવા પડ્યા છે. નર્મદા ડેમની સપાટી 134.33 મીટર પર છે. ઉપરવાસમાંથી 2 લાખ 41 હજાર 573 ક્યુસેક પાણીની આવક થઈ હતી. નર્મદા નદીમાં 1 લાખ 92 હજાર 500 ક્યુસેક પાણીની જાવક થઈ છે.

મોજ ડેમ થયો ઓવરફ્લો

રાજકોટમાં ધોધમાર વરસાદ થતા જળાશયોમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઉપલેટાના ગઢાળા ગામ પાસે આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો છે. મોજ ડેમ ઓવરફ્લો થતા મોજ નદીમાં પાણી છોડાયું છે. ગઢાળા ગામ પાસે આવેલા મોજ નદીનો કોઝવે ધોવાયો છે. તંત્ર દ્વારા માટી નાખી કોઝવેને રીપેર કરાયો હતો. મોટા પ્રમાણમાં પાણીની આવકને કારણે ફરી કોઝવે ધોવાયો છે.

 

Related post

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે મળશે આટલા રૂપિયા

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે…

સહારા ગ્રુપ સહકારી મંડળીઓના નાના થાપણદારોને સરકારે મોટી રાહત આપી છે. સરકારે હવે આ રોકાણકારોને આપવામાં આવેલી રકમમાં વધારો કર્યો છે.…
Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર, ગવર્મેન્ટ 7% ભાગ ઘટાડશે, DIPAMની મળી મંજૂરી

Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર,…

આ કંપની સંબંધિત મોટા સમાચાર બુધવારે અને 18 સપ્ટેમ્બરના રોજ આવ્યા છે. કંપનીને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)…
પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સંભળાવી

પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને…

અમદાવાદની ભોગ બનનાર પીડિતા અને આરોપી જયેન્દ્ર પરમાર ઈન્સ્ટાગ્રામ પરથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા. સગીરા અને આરોપી બંને દિવ્યાંગ (સાંભળી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *