ના વેગનઆર, ના ક્રેટા…આ બની ભારતની નંબર-1 કાર, જાણો ટોપ-3માં કઈ કાર છે

ના વેગનઆર, ના ક્રેટા…આ બની ભારતની નંબર-1 કાર, જાણો ટોપ-3માં કઈ કાર છે

ના વેગનઆર, ના ક્રેટા…આ બની ભારતની નંબર-1 કાર, જાણો ટોપ-3માં કઈ કાર છે

લોકો જ્યારે કાર ખરીદવાનો પ્લાન બનાવે છે, ત્યારે તેમના બજેટને ધ્યાનમાં રાખીને કાર ખરીદતા હોય છે, પરંતુ હવે કિંમતની સાથે-સાથે સેફ્ટી પણ લોકોના મગજમાં રહે છે. ટાટા પંચ 5 સ્ટાર સેફ્ટી રેટેડ કાર હવે ભારતની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. તેણે મારુતિ સુઝુકીની વેગનઆર જેવી કારને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. વેગનઆર બીજા સ્થાને છે, જ્યારે હ્યુન્ડાઈ ક્રેટા ત્રીજા સ્થાને છે.

ભારતની બેસ્ટ સેલિંગ કારનો ખિતાબ અગાઉ મારુતિ સુઝુકી વેગનઆર પાસે હતો. જો કે હવે Tata Punch એ આ ખિતાબ જીતી લીધો છે. આ માત્ર ટાટાની સૌથી સસ્તી SUV કાર નથી, પરંતુ દેશની સૌથી સસ્તી SUV કારમાં પણ સામેલ છે. ટાટા પંચ તેની હાઈ સેફ્ટી ફીચર્સ માટે જાણીતી છે, તેથી તેની માંગ વધુ જોવા મળી રહી છે.

Tata Punch બની નંબર-1

2024માં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે ટાટા પંચના લગભગ 1.26 લાખ યુનિટ્સનું વેચાણ થયું છે. આ સંદર્ભમાં તે ભારતની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. તે માત્ર ઓછા બજેટમાં જ નથી આવતી પણ ક્રેશ ટેસ્ટમાં પણ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે આવે છે. કિંમતની વાત કરીએ તો ટાટા પંચની એક્સ-શોરૂમ કિંમત 6.13 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ભારતની ટોપ-3 કાર

Tata Punch વેચાણની દ્રષ્ટિએ દેશની નંબર 1 કાર છે. મારુતિ સુઝુકી વેગનઆર બીજા સ્થાને છે. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે લગભગ 1.16 લાખ યુનિટ્સનું વેચાણ થયું છે. પંચ પહેલા વેગનઆર ભારતની સૌથી વધુ વેચાતી કાર હતી. Hyundai Creta 1.09 લાખ યુનિટના વેચાણ સાથે ત્રીજા સ્થાને છે. જે દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો મોંઘી એસયુવી ખરીદવામાં પાછળ નથી.

શા માટે Tata Punch શ્રેષ્ઠ ?

Tata Punchની ખાસ વાત એ છે કે તમને માત્ર ઓછી કિંમત અને શાનદાર ફીચર્સ જ નહીં, પરંતુ તમને ઘણા વિકલ્પો પણ મળે છે. તમે તેને પેટ્રોલ, CNG અને ઇલેક્ટ્રિક વર્ઝનમાં પણ ખરીદી શકો છો. જેઓ પરિવાર માટે બજેટમાં આવતી સેફ્ટી કાર ખરીદવા માંગે છે, તેમના માટે Tata Punch એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

Related post

19 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : લેબનોનમાં પેજર બાદ વોકી-ટોકી…

લેબનોનમાં પેજર બાદ વોકી-ટોકી અને સોલાર ડિવાઇસમાં બ્લાસ્ટ થયો છે. 9ના મોત થયા છે,તો 300 લોકો ઘાયલ થયા છે. પેજર બ્લાસ્ટમાં…
સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે મળશે આટલા રૂપિયા

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે…

સહારા ગ્રુપ સહકારી મંડળીઓના નાના થાપણદારોને સરકારે મોટી રાહત આપી છે. સરકારે હવે આ રોકાણકારોને આપવામાં આવેલી રકમમાં વધારો કર્યો છે.…
Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર, ગવર્મેન્ટ 7% ભાગ ઘટાડશે, DIPAMની મળી મંજૂરી

Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર,…

આ કંપની સંબંધિત મોટા સમાચાર બુધવારે અને 18 સપ્ટેમ્બરના રોજ આવ્યા છે. કંપનીને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *