અંતરિક્ષમાં ફસાઈ ગઈ સુનિતા વિલિયમ્સ ! જાણો ક્યારે ધરતી પર પરત ફરશે

અંતરિક્ષમાં ફસાઈ ગઈ સુનિતા વિલિયમ્સ ! જાણો ક્યારે ધરતી પર પરત ફરશે

અંતરિક્ષમાં ફસાઈ ગઈ સુનિતા વિલિયમ્સ ! જાણો ક્યારે ધરતી પર પરત ફરશે

અમેરિકાની સ્પેસ એજન્સી, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) માટે મિશન પર અંતરિક્ષમાં ગયેલી સુનીતા વિલિયમ્સના ધરતી પર પાછા ફરવાની રાહનો અંત આવતો જણાતો નથી. મળતી માહિતી મુજબ, સુનિતા જે પ્લેન (બોઈંગ સ્ટારલાઈનર)માં અંતરિક્ષમાં ગઈ હતી તેનું ધરતી પર પરત ફરવું જોખમી હતું, તેથી નિર્ણય લેવામાં આવ્યો છે કે, સ્ટારલાઈનરને કોઈપણ અવકાશયાત્રી વિના પરત લાવવામાં આવશે. હવે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ફેબ્રુઆરી 2025 સુધીમાં પરત ફરે તેવી પૂરી શક્યતા છે.

અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, ગત 5 જૂને બોઇંગના સ્ટારલાઇનરમાં અવકાશમાં ઉડાન ભરી હતી. આ પરીક્ષણ ફ્લાઇટ દરમિયાન, થ્રસ્ટરની ખામી અને હિલીયમ લીકને કારણે નાસાએ કેપ્સ્યુલને ગ્રાઉન્ડ કરી દીધું હતું. જ્યારે એન્જિનિયરોએ આગળ શું કરવું તે અંગે વિચારણા કરી હતી. પરંતુ તેનો યોગ્ય અને સચોટ ઉકેલ લાવી શકાયો નથી.

હવે SpaceX સુનિતા વિલિયમ્સને પરત લાવશે

સ્પેસએક્સ અવકાશયાત્રીઓને પરત લાવી શકે છે, પરંતુ આ માટે તેઓએ ફેબ્રુઆરી 2025 સુધી ત્યાં રહેવું પડશે. તમને જણાવી દઈએ કે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સ્પેસ સ્ટેશન પહોંચ્યાના એક-બે અઠવાડિયા પછી પાછા ફરવાનું હતું. મળતી માહિતી મુજબ, નાસાએ સ્ટારલાઈનરને ખાલી કરીને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. હવે સ્ટારલાઈનર સપ્ટેમ્બરમાં પૃથ્વી પર પરત ફરશે.

બોઇંગ માટે મોટો ફટકો

જો કે, બોઇંગે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, અવકાશમાં અને જમીન પર થ્રસ્ટર પરીક્ષણો દર્શાવે છે કે સ્ટારલાઇનર અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પરત કરવામાં સક્ષમ છે. બોર્ડમાં ક્રૂ સાથે બોઇંગની આ પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ હતી. સ્પેસ શટલ પાછી ખેંચી લીધા પછી, નાસાએ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓની અવરજવરનું કામ બોઈંગ અને સ્પેસએક્સને સોંપ્યું છે. સ્પેસએક્સ 2020 થી આ કામ કરી રહ્યું છે. જો કે, હવે અવકાશયાત્રીઓને પરત લીધા વિના સ્ટારલાઇનરનું પરત ફરવું બોઇંગ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

બંને અવકાશયાત્રીઓ ખૂબ જ વ્યાવસાયિક છે

નાસાના મુખ્ય અવકાશયાત્રી જો અકાબાએ કહ્યું કે, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ખૂબ જ અનુભવી અંતરિક્ષયાત્રી છે. આ મિશન માટે તેમણે પહેલેથી જ તૈયારી કરી લીધી હતી. તેઓ એ પણ જાણતા હતો કે આ એક ટેસ્ટ ફ્લાઈટ છે અને તેમાં બધુ બરાબર નહીં ચાલે. જો અકાબાએ કહ્યું કે, બોઈંગ મિશનની પાઈલટ સુનીતા વિલિયમ્સને લગભગ 322 દિવસ સુધી અવકાશમાં રહેવાનો અનુભવ છે. બંને અવકાશયાત્રીઓ ખૂબ જ પ્રોફેશનલ છે અને તેઓ સારું કામ કરી રહ્યા છે.

Related post

Dwarka News : ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતોને પારાવાર હાલાકી, PGVCL કચેરીએ જઈ ઠાલવ્યો રોષ- જુઓ Video

Dwarka News : ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતોને પારાવાર…

Dwarka  News : દ્વારકાના ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યાં હોવાની ઘટના સામે આવી છે. ખંભાળિયામાં પાકને પિયત…
બુલેટની ઝડપે આવ્યો બોલ, જયસ્વાલે આંખના પલકારામાં એક હાથે પકડી લીધો કેચ, જુઓ VIDEO

બુલેટની ઝડપે આવ્યો બોલ, જયસ્વાલે આંખના પલકારામાં એક હાથે…

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ટેસ્ટ મેચનું પરિણામ લગભગ નિશ્ચિત છે. રમતના ત્રીજા દિવસે મેચની છેલ્લી ઈનિંગ શરૂ થઈ ગઈ છે.…
પંજાબના એ મહારાજા, જેમને હિટલરે ભેટમાં આપી હતી 12 એન્જિનવાળી કાર

પંજાબના એ મહારાજા, જેમને હિટલરે ભેટમાં આપી હતી 12…

ભારતના રાજા-મહારાજાઓ મોંઘી કારના ખૂબ દિવાના હતા. તે સમયે ભારતમાં જે પણ કાર આવતી તે વિદેશથી જ આવતી હતી. તે દિવસોમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *