કરોડોની સંપત્તિ-અનેક એવોર્ડ, છતાં સૌથી કિંમતી વસ્તુ ગુમાવવાનો શિખર ધવનને છે અફસોસ
- GujaratOthers
- August 24, 2024
- No Comment
- 17
શિખર ધવનની 14 વર્ષની ક્રિકેટ કારકિર્દીનો અંત આવી ગયો છે. તેણે ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ ગોલ્ડન સફર દરમિયાન ધવનના બેટમાંથી ઘણી શાનદાર ઈનિંગ્સ આવી. તેના આધારે તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા. ધવને ક્રિકેટમાં ખૂબ નામ અને પૈસા કમાયા. તેની પાસે ઘણા પુરસ્કારો અને કરોડોની સંપત્તિ છે. તેણે તેની કારકિર્દી દરમિયાન ઘણું હાંસલ કર્યું, પરંતુ તેની સૌથી કિંમતી વસ્તુ ગુમાવી દીધી હતી. જેના કારણે ધવન આજે પણ પરેશાન રહે છે અને તેને યાદ કરીને ઘણીવાર ભાવુક થઈ જાય છે. ધવને તેના ઘણા ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
ધવન માટે સૌથી કિંમતી વસ્તુ શું છે?
ધવન છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. BCCIએ તેને ગયા વર્ષે કોન્ટ્રાક્ટમાંથી પણ મુક્ત કરી દીધો હતો. આ સાથે ટીમ ઈન્ડિયામાં તેની વાપસીનો રસ્તો લગભગ બંધ થઈ ગયો હતો. જો કે, ધવન આનાથી વધારે પરેશાન ન હતો, પરંતુ છેલ્લા બે વર્ષમાં બનેલી એક ઘટનાએ તેને તોડી નાખ્યો હતો. આમાં ધવને તેના જીવનની સૌથી કિંમતી વસ્તુ ગુમાવી દીધી. અહીં અમે તેમના પુત્ર ઝોરાવરની વાત કરી રહ્યા છીએ.
6 મહિનાથી તેના પુત્રને મળી શક્યો નથી
નિવૃત્તિ બાદ ધવને ફરી એકવાર પોતાના પુત્રને યાદ કર્યો. આ પહેલા પણ તેણે ઘણી વખત તેના માટે ઝોરાવરના મહત્વ વિશે જણાવ્યું હતું. તાજેતરમાં, એક પોડકાસ્ટ પર, તેણે ખુલાસો કર્યો કે તે 6 મહિનાથી તેના પુત્રને મળી શક્યો નથી. તે પોતાના પુત્ર સાથે વીડિયો કોલ પર વાત કરે છે. ધવનનો પુત્ર તેની પૂર્વ પત્ની આયેશા સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે અને તેણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેનો પુત્ર એક દિવસ ભારત આવે.
Dhawan said “Zoraver is 11 now. I hope he gets to know about my retirement & all about my cricket journey but more than as a cricketer, I would like for Zoraver to remember me as a good human being who does good deeds & brings positivity to people around him”. [Hindustan Times] pic.twitter.com/s9GICxdpyN
— Johns. (@CricCrazyJohns) August 24, 2024
ધવન તેના પુત્રથી દૂર છે
ધવને 2012માં ઓસ્ટ્રેલિયાની આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા અને 2014માં તેમના પુત્રનો જન્મ થયો હતો. બીજા જ વર્ષે તેણે તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેવાનું શરૂ કર્યું. જોકે, તેણે પોતાનો મોટાભાગનો સમય ટીમ ઈન્ડિયા સાથે વિતાવ્યો હતો. આયેશા અને ધવન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને લગ્નના 9 વર્ષ પછી બંનેએ આ સંબંધનો અંત લાવ્યો. 2023 માં, ધવને માનસિક ઉત્પીડનના આધારે સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા. ત્યારથી તે તેના પુત્ર જોરાવરથી દૂર થઈ ગયો હતો.
આ પણ વાંચો: 40 લાખમાં જર્સી, 28 લાખમાં ગ્લોવ્સ, કેએલ રાહુલની હરાજીમાં વિરાટ કોહલીનો ધડાકો