જસપ્રીત બુમરાહની વાપસી પર મોટું અપડેટ આવ્યું સામે, આ સિરીઝથી મેદાનમાં કરશે કમબેક!

જસપ્રીત બુમરાહની વાપસી પર મોટું અપડેટ આવ્યું સામે, આ સિરીઝથી મેદાનમાં કરશે કમબેક!

જસપ્રીત બુમરાહની વાપસી પર મોટું અપડેટ આવ્યું સામે, આ સિરીઝથી મેદાનમાં કરશે કમબેક!

બુમરાહ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીથી ક્રિકેટમાં વાપસી કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, બુમરાહ બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચમાંથી એકમાં રમી શકે છે. વાસ્તવમાં, ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચો વચ્ચે માત્ર ત્રણ દિવસનો વિરામ છે, તેથી બુમરાહ ન્યુઝીલેન્ડ સામે માત્ર બે ટેસ્ટ મેચ રમે તેવી શક્યતા છે. એટલે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા તે ટીમ ઈન્ડિયા માટે ત્રણ ટેસ્ટ મેચ રમતો જોવા મળી શકે છે.

ખેલાડીઓનું રોટેશન થશે

મીડિયા રિપોર્ટ અનુસાર, BCCIના એક અધિકારીએ કહ્યું કે, ‘અમે બધાને એક સાથે આરામ આપી શકતા નથી કારણ કે ટીમમાં અનુભવની જરૂર હમેશા હોય છે. ઈંગ્લેન્ડ શ્રેણીની જેમ, જ્યાં ટીમે યુવા ખેલાડી સાથે વરિષ્ઠ ઝડપી બોલરની જોડી બનાવી હતી, તેવો જ અભિગમ ફરીથી અપનાવવામાં આવશે. દુલીપ ટ્રોફીમાં ઝડપી બોલરોની સારી સેના છે જેમને ઓસ્ટ્રેલિયા પ્રવાસને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા છે. જો તેઓ સારું પ્રદર્શન કરશે તો અમે તેમને ઓસ્ટ્રેલિયા લઈ જતા પહેલા ઘરઆંગણાની સ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકીશું.

 

ફાસ્ટ બોલરોના વર્કલોડ મેનેજમેન્ટ પર કામ ચાલુ

બાંગ્લાદેશ બાદ ટીમ ઈન્ડિયાએ પણ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. જે બાદ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે, જ્યાં 5 ટેસ્ટ મેચ રમાશે. આવી સ્થિતિમાં BCCI પોતાના ફાસ્ટ બોલરોના વર્કલોડ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યું છે, જેથી તેઓ ઓસ્ટ્રેલિયા સામે મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરી શકે. આવી સ્થિતિમાં બુમરાહ સિવાય અન્ય બોલરોને પણ આગામી મેચોમાં સમયાંતરે આરામ આપવામાં આવી શકે છે, જેમાં મોહમ્મદ સિરાજનું નામ પણ સામેલ છે. મોહમ્મદ શમી પણ હાલમાં તેની ઈજામાંથી બહાર આવી રહ્યો છે.

આ પણ વાંચો: રોહિત શર્માએ ખોલ્યું મોટું રહસ્ય, T20 વર્લ્ડ કપની જીત માટે મેદાનમાં ના ઉતરનારા આ ત્રણને આપ્યો શ્રેય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં ફરી 370 લાદવા NC-કોંગ્રેસ અમારી સાથે

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં…

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે, મોદી સરકાર સામે ઝેર ઓક્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર મોટું નિવેદન આપ્યું છે.…
પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં બ્લાસ્ટ ? જાણો લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ પાછળની હકીકત

પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં…

18 સપ્ટેમ્બરના રોજ લેબનોન અને સીરિયાના કેટલાક સરહદી વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. અચાનક શેરીઓ, બજારો અને ઘરોમાં લોકોના ખિસ્સા અને હાથમાં…
‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ શેરની કિંમતમાં 20 ટકાનો ઘટાડો, જુઓ તસવીરો

‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય…

ટેલિકોમ કંપની વડાફોન આઈડીયાને આજે મોટો ફટકો પડ્યો છે. સુપ્રિમ કોર્ટએ આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ટેલિકોમ કંપની દ્વારા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *