તમારા બાઈકની પેટ્રોલ ટાંકીમાં પણ ભરાઈ ગયું છે વરસાદનું પાણી ? જાણો કેવી રીતે કરવું અલગ

તમારા બાઈકની પેટ્રોલ ટાંકીમાં પણ ભરાઈ ગયું છે વરસાદનું પાણી ? જાણો કેવી રીતે કરવું અલગ

તમારા બાઈકની પેટ્રોલ ટાંકીમાં પણ ભરાઈ ગયું છે વરસાદનું પાણી ? જાણો કેવી રીતે કરવું અલગ

જો વરસાદનું પાણી બાઇકની પેટ્રોલ ટાંકીમાં ઘૂસી ગયું હોય તો તેને તાત્કાલિક કાઢીને ટાંકીને સાફ કરવી જરૂરી છે. પેટ્રોલ ટાંકીમાં પાણી હોવાને કારણે એન્જિનના પરફોર્મન્સ પર અસર પડી શકે છે અને એન્જિનને નુકસાન થઈ શકે છે. આ લેખમાં અમે તમને કેટલાક સ્ટેપ્સ જણાવવા જઈ રહ્યા છે, જે મુજબ તમે પેટ્રોલ ટાંકીમાંથી પાણી બહાર કાઢી શકો છો.

બાઇકની ટાંકી ખાલી કરવી

આ ટિપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને બાઇકની ટાંકીમાં રહેલું પાણી સરળતાથી દૂર કરી શકશો. સૌપ્રથમ તો પેટ્રોલની ટાંકી સંપૂર્ણપણે ખાલી કરો. ટેન્કમાંથી પેટ્રોલને સ્વચ્છ વાસણમાં કાઢી લો.

પેટ્રોલ ટાંકીમાંથી પાણી કેવી રીતે દૂર કરવું ?

પેટ્રોલ અને પાણીની ઘનતા અલગ-અલગ હોય છે, જેના કારણે પાણી પેટ્રોલની નીચે સ્થિર થાય છે. તેથી જો પેટ્રોલ ટાંકીમાં પાણી ભરાઈ ગયું હોય, તો તેને અલગ કરવા માટે અલગ વાસણમાં બંને કાઢો અને થોડીવાર રહેવા દો. પાણી સ્થિર થઈ જાય એટલે ઉપરથી પેટ્રોલ કાઢી શકો છો.

પેટ્રોલ ટાંકી સાફ કરીને સુકાવવા દેવી

પેટ્રોલની ટાંકીને સારી રીતે સુકવી લો. આ માટે તમે સૂકા કપડાનો ઉપયોગ કરી શકો છો અથવા ટાંકીને ખુલ્લી છોડી શકો છો જેથી તે સંપૂર્ણપણે સુકાઈ જાય. ટાંકીને સૂકવવા માટે તમે એર બ્લોઅરનો પણ ઉપયોગ કરી શકો છો. ટાંકીને સારી રીતે સૂકવ્યા પછી તેમાં નવું પેટ્રોલ ભરો. જૂના પેટ્રોલનો ઉપયોગ કરશો નહીં કારણ કે તેમાં પાણી ભળી શકે છે.

બાઇકના એન્જિનને ચેક કરી લેવું

એન્જિનને પાણીથી કોઈ નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે એન્જિનને ચેક કરાવું. જો બાઈક કોઈ અસામાન્ય અવાજ કરી રહી હોય અથવા પરફોર્મન્સમાં ઘટાડો થતો હોય તો કોઈ પ્રોફેશનલ મિકેનિક દ્વારા તેની તપાસ કરાવો. આ સ્ટેપ્સ ફોલો કરીને તમે તમારી બાઇકની પેટ્રોલ ટાંકીમાંથી પાણી સુરક્ષિત રીતે દૂર કરી શકો છો અને એન્જિનને સંભવિત નુકસાનને અટકાવી શકો છો.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *