અમદાવાદમાં વરસાદી પાણીનો સમયસર નિકાલ ના થતા, ભાજપના જ ધારાસભ્યે પત્ર લખીને તંત્રનો કાન આમળ્યો, જુઓ વીડિયો

અમદાવાદમાં વરસાદી પાણીનો સમયસર નિકાલ ના થતા, ભાજપના જ ધારાસભ્યે પત્ર લખીને તંત્રનો કાન આમળ્યો, જુઓ વીડિયો

દર વર્ષે ચોમાસામાં વરસતા સામાન્ય વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરક થઈ જતા હોય છે. અમદાવાદમાં વરસાદ વરસે અને સાબરમતી નદી ઉપર વાસણા ખાતે આવેલ બેરેજના દરવાજા ખોલવામાં ના આવે તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થતો નથી. આ સમસ્યા સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલ રિવરફ્રન્ટને કારણે વકરી છે. પરંતુ દર વર્ષે ચોમાસા પહેલા ગુજરાતના જળ સંપતિ વિભાગ દ્વારા વાસણા બારેજના દરવાજાનું સમારકામ હાથ ધરવામાં આવે છે. જેથી કરીને ચોમાસામાં જયારે જરૂર પડે ત્યારે, વાસણા બેરેજના દરવાજા ખોલીને શહેરના વિવિધ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનુ સાબરમતી નદીમાં વહન થઈ શકે.

જો કે વર્ષોથી આ કામગીરી કરવામાં આવતી હોવા છતા, આ વર્ષે ગુજરાતના જળસંપતિ વિભાગ દ્વારા વાસણા બારેજના દરવાજાઓનું યોગ્ય સમારકામ હાથ ધરાયું નથી. જેને લગતો એક પત્ર અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્યે જળસંપતિ વિભાગને લખીને કેટલાક પ્રશ્નો પુછ્યાં છે.

અમદાવાદમાં દર વર્ષે ચોમાસામાં સાવ સામાન્ય કહેવાય તેટલી માત્રામાં વરસતા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ સમસ્યા બીજા વર્ષે ઓછી થવા અથવા તો ઉકેલાવવાને બદલે સમસ્યામાં નવા નવા વિસ્તારો ઉમેરાતા જાય છે. અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના જળસંપતિ વિભાગ દ્વારા યોગ્ય સંકલનના અભાવે નાગરિકોને હેરાનગતી અને મરો થતો હોય છે. આ વર્ષે મનપાએ જાહેર કર્યું હતું કે, દર વર્ષે જે વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે તે પૈકી અનેક વિસ્તારોની સમસ્યાનો નિકાલ થઈ જશે. પરંતુ આ સમસ્યા ઉકેલાવાને બદલે, યથાવત રહેવા પામી છે.

 

 

 

Related post

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી 400ને પાર, યુકેની ચૂંટણીમાં મોટો ઉલટફેર

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી…

યુનાઇટેડ કિંગડમ (યુકે) માં સામાન્ય ચૂંટણી માટે પડેલા મતોની આજે ગણતરી કરવામાં આવી રહી છે. લેબર પાર્ટીના કીર સ્ટાર્મર અને કન્ઝર્વેટિવ…
Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી- જુઓ Video

Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં…

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક પછી એક પ્રસંગોની…
ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ, જુઓ વીડિયો

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ…

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રા ભરૂચમાં નીકળે છે. અતિ પૌરાણિક હોવાના કારણે અહીં ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્વ પણ ખુબ હોય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *