પ્રતિબંધ હટાવ્યા પછી ગુજરાતના ‘ગિફ્ટી સિટી’માં કેટલો દારૂ પીવામાં આવ્યો? સરકારે ચાર મહિનાનો ડેટા કર્યો જાહેર

પ્રતિબંધ હટાવ્યા પછી ગુજરાતના ‘ગિફ્ટી સિટી’માં કેટલો દારૂ પીવામાં આવ્યો? સરકારે ચાર મહિનાનો ડેટા કર્યો જાહેર

પ્રતિબંધ હટાવ્યા પછી ગુજરાતના ‘ગિફ્ટી સિટી’માં કેટલો દારૂ પીવામાં આવ્યો? સરકારે ચાર મહિનાનો ડેટા કર્યો જાહેર

ગયા વર્ષના અંતમાં ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવીને દારૂ પીવાની પરવાનગી આપી હતી. આ પછી ગિફ્ટ સિટી વિશ્વભરમાં ચર્ચામાં આવી. ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી જ દારૂબંધી અમલમાં છે. ત્યારે સરકારે દલીલ કરી હતી કે વૈશ્વિક બિઝનેસ અને ટેક હબ બનાવવા માટે આ જરૂરી છે.

આ પછી સરકારે ગિફ્ટ સિટી દારૂ પીરસવાના લાયસન્સ આપ્યા હતા. સરકાર દ્વારા લીક કરવામાં આવેલા ડેટામાં બહાર આવ્યું છે કે છેલ્લા ચાર મહિનામાં ગિફ્ટ સિટીમાં કેટલો દારૂ પીવામાં આવ્યો છે?

જાણો કેટલી પરમિટ આપવામાં આવી?

ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર ગિફ્ટ સિટીમાં છેલ્લા ચાર મહિનામાં એટલે કે 1 માર્ચથી 25 જૂન સુધીમાં કુલ 650 લિટર દારૂનું વેચાણ થયું હતું. જેમાં કુલ 450 લીટર બિયરનો જથ્થો હતો. માહિતી અનુસાર 1 માર્ચથી માત્ર 500 કર્મચારીઓએ જ દારૂ પીવાની પરમિટ માટે અરજી કરી છે. આ લાયસન્સ તેમને આપવામાં આવ્યા છે.

સરકારના જણાવ્યા અનુસાર ગિફ્ટ સિટીમાં 24,000થી વધુ લોકો કામ કરે છે. સરકારે અહેવાલ આપ્યો છે કે 1 માર્ચથી માત્ર 250 મુલાકાતીઓને પરમિટ આપવામાં આવી છે. સરકારના નશાબંધી વિભાગે 1 માર્ચથી દારૂના વેચાણ અને વપરાશના ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.

ઓછા વેચાણનું કારણ શું છે?

ગિફ્ટ સિટીના લાયસન્સ સાથે દારૂ પીવાની છૂટ મળ્યા બાદ પણ વેચાણ ઓછું થયું છે. વિભાગના જણાવ્યા મુજબ એવું બહાર આવ્યું છે કે દારૂના ઓછા વેચાણ પાછળનું મુખ્ય કારણ એ છે કે ગિફ્ટ સિટીની અંદર વેચાતા દારૂની કિંમત રાજ્યભરની પરમિટની દુકાનો કરતા ત્રણ ગણી વધારે છે.

બીજું મોટું કારણ એ છે કે યજમાનનું (હોસ્ટ- ત્યા કામ કરતા લોકો) દરેક સમયે મુલાકાતીની સાથે હોવું જરૂરી છે. અહીં યજમાન એટલે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી. તેથી મુલાકાતીએ પણ દારૂ પીવામાં રસ દાખવ્યો નથી. જેના કારણે ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટછાટને ખૂબ જ ઠંડો પ્રતિસાદ મળી રહ્યો છે.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *