IND vs AUS: ભારત સામે હારીને પણ ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી શકે છે, હવે આ સમીકરણથી રસ્તો ખુલશે

IND vs AUS: ભારત સામે હારીને પણ ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી શકે છે, હવે આ સમીકરણથી રસ્તો ખુલશે

IND vs AUS: ભારત સામે હારીને પણ ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી શકે છે, હવે આ સમીકરણથી રસ્તો ખુલશે

ઓસ્ટ્રેલિયાની ટીમને અફઘાનિસ્તાન સામે 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હારતા જ ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલમાં પહોચવાની આશા પર ઝટકો લાગ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારત વિરુદ્ધ રમાનારી મેચના રિઝલ્ટ પર નિર્ભર રહેશે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ આજે એટલે કે, 24 જૂનના રોજ રમાશે. જો ઓસ્ટ્રેલિયાની ટીમ આ મેચ જીતી લે છે તો સેમિફાઈનલમાં પહોંચી જશે. જો આ મેચ હારી જાય છે તો પણ સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા છે.

 

ઓસ્ટ્રેલિયાની ટીમનો નેટ રન રેટ શાનદાર

ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યારસુધી સુપર-8માં 2 મેચ રમી છે. જેમાં બાંગ્લાદેશ વિરુદ્ધ જીત મળી હતી. તો અફઘાનિસ્તાન સામે હાર મળી હતી. ઓસ્ટ્રેલિયાની સારી વાત એ છે કે, તેનો નેટ રન રેટ પ્લમાં છે. ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ પ્લસ 0.223 છે અને 2 અંક છે.

આ રીતે સેમિફાઈનલમાં પહોંચી શકે છે ઓસ્ટ્રેલિયાની ટીમ

ઓસ્ટ્રેલિયાની ટીમ જો ભારત વિરુદ્ધ હારી જાય છે તો આવી સ્થિતિમાં સૌથી પહેલા ભારતીય ટીમ 6 અંક સાથે સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી લેશે. અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાના 2-2 અંક થશે. આ ગ્રુપમાં સેમિફાઈનલમાં બીજી ટીમ કોણ હશે. તેનો નિર્ણય નેટ રન રેટ પર નિર્ભર કરે છે.

આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઈચ્છશે કે, તે ભારત વિરુદ્ધ મેચ વધારે રનથી ન હારે, ત્યારે નેટ રન રેટમાં વધુ નુકસાન થશે નહિ. તેમણે એ પણ પ્રાર્થના કરવી પડશે કે, અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ હારી જાય, આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ શાનદાર નેટ રન રેટની સાથે સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી લેશે.

ઓસ્ટ્રેલિયા એક વખત જીતી ચુક્યું છે ખિતાબ

ઓસ્ટ્રેલિયાની ટીમ હંમેશાથી આઈસીસી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરે છે. ટીમે ટી20 વર્લ્ડકપ 2021ના રોજ ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાની પાસે એવા પ્લેયર્સ છે જે મેચ બદલી શકે છે. પરંતુ અફઘાનિસ્તાન સામે મળેલી હારથી ઓસ્ટ્રેલિયાની ટીમ સતર્ક થઈ ગઈ છે.

આ પણ વાંચો : T20 World Cup 2024: IND vs AUS વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયા નહીં વરસાદ ફેરવશે ઓસ્ટ્રેલિયાની આશા પર પાણી ! જુઓ Weather Report

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો:

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *