પાસપોર્ટ વગર વિદેશ જઈ શકાય કે નહીં ? જાણો શું છે નિયમ
- GujaratOthers
- June 23, 2024
- No Comment
- 10
જો કોઈને વિદેશ પ્રવાસ માટે ભારતની બહાર જવું હોય તો. તેના માટે પાસપોર્ટ જરૂરી છે. પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં તમે પાસપોર્ટ વગર પણ મુસાફરી કરી શકો છો.
ભારતમાં લોકો માટે ઘણા દસ્તાવેજો જરૂરી છે. જેમાં વિવિધ જરૂરિયાતો માટે જુદા જુદા દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે. જેમકે, બેંકિંગ સંબંધિત કામો માટે પાન કાર્ડ જરૂરી છે. મત આપવા માટે મતદાર કાર્ડ જરૂરી છે. એ જ રીતે વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ જરૂરી છે.
પરંતુ ઘણી વખત લોકોના મનમાં આ સવાલ આવે છે. પાસપોર્ટ વગર પણ વિદેશ પ્રવાસ કરી શકાય કે નહીં ? આ અંગે શું નિયમ છે ? તો અમે તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે વિદેશ જવા માટે તમારે પાસપોર્ટની જરૂર હોય છે. પરંતુ બે દેશ એવા છે જ્યાં જવા માટે ભારતીયોને પાસપોર્ટની જરૂર નથી.
આ દેશોમાં ભારતના બે પડોશી દેશ નેપાળ અને ભૂટાનનો સમાવેશ થાય છે. કોઈપણ ભારતીય પાસપોર્ટ વિના આ બંને દેશોમાં પ્રવેશ કરી શકે છે.
સામાન્ય રીતે વિદેશ જવા માટે તમારે પાસપોર્ટ સાથે વિઝાની જરૂર પડે છે, પરંતુ નેપાળ અને ભૂટાનમાં તમે પાસપોર્ટ કે વિઝા વગર મુસાફરી કરી શકો છો.