T20 World Cup 2024 :  LIVE મેચમાં વિરાટ કોહલી ટેબલ નીચે ઘુસી ગયો, વીડિયો વાયરલ થયો

T20 World Cup 2024 : LIVE મેચમાં વિરાટ કોહલી ટેબલ નીચે ઘુસી ગયો, વીડિયો વાયરલ થયો

T20 World Cup 2024 :  LIVE મેચમાં વિરાટ કોહલી ટેબલ નીચે ઘુસી ગયો, વીડિયો વાયરલ થયો

ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપ 2024ની સુપર-8માં બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની બીજી મેચ પણ જીતી લીધી છે. ભારતીય ટીમે આ મેચ 50 રનથી જીતી હતી. આ મેચ સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વિરાટ કોહલી ટેબલની અંદર ધુસતો જોવા મળ્યો હતો. હવે સવાલ એ છે કે, લાઈવ મેચ દરમિયાન વિરાટ કોહલીએ એવું શું કર્યું કે, જેને જોયા બાદ ક્રિકેટ ચાહકોને પણ તેના દિવસો યાદ આવી ગયા છે.

બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં ટેબલ અંદર ધુસતો વિરાટ કોહલીનો વીડિયો સામે આવ્યો છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, લાઈવ મેચ દરમિયાન એવું શું થયુ કે, વિરાટ કોહલી ટેબલની અંદર ધુસતા જોવા મળ્યા હતા.

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

વિરાટ કોહલી ટેબલની અંદર

લાઈવ મેચ દરમિયાન વિરાટ કોહલી ટેબલની અંદર ધુસવાની આ ઘટના બાંગ્લાદેશ વિરુદ્ધ 17મી ઓવરમાં બની હતી. ભારત તરફથી અર્શદીપ સિંહ આ ઓવર નાંખી રહ્યો હતો. અર્શદીપ સિંહ આ ઓવરના પહેલા બોલ પર સ્ટ્રાઈક પર હતો અને બાંગ્લાદેશના બેટ્સમેન રિશાદ હુસૈને એક સિકસ મારી હતી. જે બોલ મેદાન બહાર રાખેલા ટેબલની નીચે ચાલ્યો ગયો હતો. આ બોલ બહાર નીકાળવા માટે વિરાટ કોહલી ટેબલની અંદર ધુસતા જોવા મળ્યો હતો. ટેબલ અંદર જતો આ વીડિયો આઈસીસીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

બાંગ્લાદેશ વિરુદ્ધ વિરાટે 37 રન બનાવ્યા

બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં વિરાટ કોહલીએ 28 બોલનો સામનો કરતા 37 રન બનાવ્યા હતા. જેમાં 3 સિક્સ અને 1 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ટી20 વર્લ્ડકપમાં વિરાટ કોહલીનો અત્યારસુધીનો સૌથી મોટો સ્કોર રહ્યો છે. ભારતે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 5 વિકેટ પર 196 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ પર 146 રન બનાવી શકી હતી.

આ પણ વાંચો : IND vs BAN: હાર્દિક-કુલદીપે ભારતને જીત તરફ દોરી, સેમીફાઈનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *