IND vs BAN: પ્રેક્ટિસ સેશનમાં જ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન થઈ નક્કી! આ ખેલાડીઓ બાંગ્લાદેશ સામે રમશે

IND vs BAN: પ્રેક્ટિસ સેશનમાં જ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન થઈ નક્કી! આ ખેલાડીઓ બાંગ્લાદેશ સામે રમશે

IND vs BAN: પ્રેક્ટિસ સેશનમાં જ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન થઈ નક્કી! આ ખેલાડીઓ બાંગ્લાદેશ સામે રમશે

બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? શું સતત ચાર મેચની નિષ્ફળતા બાદ રોહિત-વિરાટ ફરી ઓપનિંગ કરશે? શું શિવમ દુબેને ફરી તક મળશે? આ તમામ સવાલો છે જે એન્ટીગુઆમાં યોજાનારી મેચ પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્મા સામે ઉભા છે.

11 ખેલાડીઓ નક્કી

એન્ટિગુઆમાં ટોસ સાથે આ તમામ પ્રશ્નોના જવાબો મળી જશે. પરંતુ, ટોસ અને મેચના એક દિવસ પહેલા જ આનો જવાબ મળી ગયો છે. સરળ ભાષામાં કહીએ તો, બાંગ્લાદેશ સામે રોહિત શર્મા તેના કયા 11 ખેલાડીઓમાંથી મેદાનમાં ઉતારશે, તેમના નામ ફાઈનલ દેખાઈ રહ્યા છે.

મેચ પહેલા પ્લેઈંગ-11ની ઝલક

જોકે બાંગ્લાદેશ સામેની મેચની પ્લેઈંગ ઈલેવનને લઈને અત્યાર સુધી કોઈએ સ્પષ્ટપણે કંઈ કહ્યું નથી. પરંતુ, એન્ટિગુઆમાં ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન જોયા બાદ પ્લેઈંગ ઈલેવનની સ્થિતિ સ્પષ્ટ દેખાઈ હતી. હવે સવાલ એ છે કે એન્ટિગુઆમાં પ્રેક્ટિસ સેશનમાં શું જોવા મળ્યું, જે ભારતની પ્લેઈંગ ઈલેવનને જાહેર કરે છે?

રોહિતે આપ્યા સંકેત

એન્ટિગુઆમાં પ્રેક્ટિસ સેશનમાં, ભારતીય ટીમ ફરી એકવાર 3 સ્પિનરો સાથે રમશે, જે એક મોટો સંકેત છે કે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આગામી મેચમાં પણ બેન્ચ પર બેસવું પડી શકે છે. જો આવું થાય તો બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતાઓ નહિવત છે. મતલબ, 3 સ્પિનરોથી સજ્જ એ જ ટીમ મેદાનમાં જોવા મળશે, જે સુપર-8ની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે જોવા મળી હતી. બાર્બાડોસમાં અફઘાનિસ્તાન સામેની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ એન્ટીગુઆમાં 3 સ્પિનરો સાથે રમવાના સંકેત આપ્યા હતા.

એન્ટિગુઆમાં 3 સ્પિનરો સાથે પ્રેક્ટિસ

એન્ટિગુઆમાં 3 સ્પિનરો સાથેની પ્રેક્ટિસ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાંગ્લાદેશ સામેની મેચમાં પણ ટીમ ઈન્ડિયાને વધારાના સીમરની જરૂર નથી. મતલબ, બાંગ્લાદેશ સામેની મેચમાં જે 11 ખેલાડીઓ રમતા જોવા મળી શકે છે તે કંઈક આ રીતે હોઈ શકે છે.

બાંગ્લાદેશ સામે સંભવિત પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, શિવમ દુબે, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

આ પણ વાંચો: ‘જ્યાં છું ત્યાં ખુશ છું, ભવિષ્યનું વિચારતો નથી’, ગૌતમના ‘ગંભીર’ નિવેદને ટીમ ઈન્ડિયાના કોચ અંગે મોટો સવાલ ઊભો કર્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *