વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના PM શેખ હસીના વચ્ચે આજે થશે મુલાકાત, જાણો આ મુલાકાતનું શું છે મહત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના PM શેખ હસીના વચ્ચે આજે થશે મુલાકાત, જાણો આ મુલાકાતનું શું છે મહત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના PM શેખ હસીના વચ્ચે આજે થશે મુલાકાત, જાણો આ મુલાકાતનું શું છે મહત્વ

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની બે દિવસીય મુલાકાતે છે. દિલ્હી પહોંચેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આજે પીએમ નરેન્દ્ર મોદીને મળશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની 15 દિવસમાં ભારતની આ બીજી મુલાકાત છે.આ પહેલા શેખ હસીનાએ 9 જૂને વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આજે પીએમ મોદી અને શેખ હસીના વચ્ચે રેલવે, ઉર્જા અને કનેક્ટિવિટી સહિત અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે.

તિસ્તાના પાણી વિતરણના માસ્ટર પ્લાન પર પણ ચર્ચા થઈ શકે છે. શેખ હસીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ મુલાકાત કરવાના છે. તેમના વર્તમાન પ્રવાસને ઢાકા-દિલ્હી અને બેઇજિંગ વચ્ચે સંતુલન સાધવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે. ગઈકાલે દિલ્હીમાં તેઓ વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા બાંગ્લાદેશ સાથેના સંબંધોને વિશેષ મહત્વ આપ્યું છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પીએમ મોદીના સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ રહ્યા છે. આ વખતે પણ શેખ હસીનાએ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. વડાપ્રધામ નરેન્દ્ર મોદીએ ગત વર્ષે G20 કોન્ફરન્સ દરમિયાન બાંગ્લાદેશને અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું, જે નવ દેશોમાંથી બાંગ્લાદેશ એકમાત્ર દક્ષિણ એશિયાઈ દેશ હતો. ભારતની નેબર ફર્સ્ટ નીતિ હેઠળ બાંગ્લાદેશ એક મહત્વપૂર્ણ ભાગીદાર છે.

આ મુલાકાત કેટલી મહત્વની છે ?

મોદી સરકાર 3.0 ના શપથ લીધા પછી, શેખ હસીના દિલ્હીની મુલાકાત લેનારા પ્રથમ રાષ્ટ્રાધ્યક્ષ છે. 15 દિવસમાં આ તેમની બીજી ભારત મુલાકાત છે. જેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે બંને દેશો વચ્ચે મિત્રતા કેટલી મહત્વપૂર્ણ છે. ભારત માટે બાંગ્લાદેશ ખૂબ જ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. જેના કારણે બાંગ્લાદેશમાં ચીનની રણનીતિ નિષ્ફળ થઈ શકે છે. આ પ્રવાસ બાદ શેખ હસીના ચીન જશે. આનાથી ઘણા અર્થો પણ લેવામાં આવી રહ્યા છે કારણ કે બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનો મોટો વેપાર ભાગીદાર છે.

શું છે ભારત-બાંગ્લાદેશ એજન્ડા ?

પીએમ મોદી અને શેખ હસીના વચ્ચેની બેઠક દરમિયાન અનેક મહત્વપૂર્ણ કરારો પર ચર્ચા થઈ શકે છે. જેમાં તિસ્તા જળ સમજૂતી, ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી વધારવા પર ભાર, મ્યાનમારમાં સુરક્ષા સ્થિતિ પર ચર્ચા, આર્થિક અને વેપાર મુદ્દાઓ પર વાતચીત, વેપાર પર સર્વસંમતિ સુધી પહોંચવાના પ્રયાસો અને કનેક્ટિવિટી વધારવાનો સમાવેશ થાય છે.

Related post

નર્મદા વીડિયો  : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

નર્મદા વીડિયો : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો…

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે…
Rain Report :  છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી, સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain Report : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં…

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં…
Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય…

વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *