2 પંખા, 4 LED બલ્બ અને ફ્રિજ ચલાવવા માટે કેટલી મોટી સોલાર પેનલ લગાવવી પડે અને કેટલી મળે સબસિડી ?

2 પંખા, 4 LED બલ્બ અને ફ્રિજ ચલાવવા માટે કેટલી મોટી સોલાર પેનલ લગાવવી પડે અને કેટલી મળે સબસિડી ?

2 પંખા, 4 LED બલ્બ અને ફ્રિજ ચલાવવા માટે કેટલી મોટી સોલાર પેનલ લગાવવી પડે અને કેટલી મળે સબસિડી ?

ભારતના મોટાભાગના રાજ્યોમાં હાલમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ સાથે જ લોકો માટે ઘરની અંદર જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. ગરમીથી બચવા લોકોએ વીજ ઉપકરણોનો સહારો લેવો પડે છે. જેના કારણે વીજળીનું બિલ ખૂબ જ વધારે આવે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોએ વીજળીના બિલમાંથી છુટકારો મેળવવા માટે એક નવી યુક્તિ અજમાવી છે.

ઘણા લોકો હવે તેમના ઘરોમાં સોલાર પેનલ લગાવી રહ્યા છે. જેના કારણે વીજળીના બિલમાં પણ રાહત મળી રહી છે. જો તમારે ઘરમાં બે પંખા, ચાર LED બલ્બ અને એક ફ્રીજ ચલાવવું હોય, તો તમારે કેટલી ક્ષમતાની સોલાર પેનલની જરૂર પડશે અને તેના પર તમને કેટલી સબસિડી મળશે ? તેના વિશે આ લેખમાં જાણીશું.

1 કિલોવોટની સોલાર પેનલમાં ચાલશે આટલા ઉપકરણો

જો તમે ઘરમાં ઘણા વીજ ઉપકરણોનો ઉપયોગ કરતા નથી, તો તમારા માટે 1 કિલોવોટની ક્ષમતાવાળી સોલાર પેનલ પૂરતી છે. 1 કિલો વોટની સોલાર પેનલ સાથે તમે તમારા ઘરમાં બે પંખા સરળતાથી ચલાવી શકો છો.આ સાથે તમે 4 LED બલ્બનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમે ફ્રીજની સાથે સાથે ટીવી પણ ચલાવી શકો છો. તમને જણાવી દઈએ કે 1 કિલોવોટની ક્ષમતાવાળી સોલાર પેનલથી એક દિવસમાં 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકાય છે.

50 ટકા સુધીની સબસિડી મળશે

જો કોઈ પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવે છે તો તેમાં બેવડો ફાયદો થાય છે. ચાલો તમને સમજાવીએ કે તે કેવી રીતે થાય છે. સરકાર સોલર પેનલ લગાવવા માટે લોકોને સબસિડી આપી રહી છે. આ માટે ભારતમાં યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. અને તમે યોજના હેઠળ તમારા ઘરમાં 1 કિલોવોટ સોલર પેનલ લગાવવા માટે અરજી કરો છો. તેથી તમને લગભગ 50 ટકા સબસિડી મળે છે.

1 કિલોવોટ સોલર પેનલ લગાવવા માટે 30 હજારથી 45 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જેના પર સરકાર દ્વારા 15 હજારથી 20 હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. સબસિડી તમારા સોલર પેનલના ખર્ચને ઘટાડે છે. તેથી, સોલાર પેનલ લગાવ્યા પછી તમારા ઘરના વીજળી બિલનો ખર્ચ પણ નીકળી જાય છે.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *