Rajkot Fire Accident : ભ્રષ્ટાચારમાં મનસુખ સાગઠિયા સહિત અનેક ભાગીદારો હોવાની ચર્ચા, 10 કરોડથી વધારેની અપ્રમાણસર સંપતિ મળી

Rajkot Fire Accident : ભ્રષ્ટાચારમાં મનસુખ સાગઠિયા સહિત અનેક ભાગીદારો હોવાની ચર્ચા, 10 કરોડથી વધારેની અપ્રમાણસર સંપતિ મળી

રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડના કેસમાં હવે મોટા ખુલાસા થવાની શક્યતા છે. ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસમાં મોટા ખુલાસા થઇ શકે છે. મહત્વનું છે કે પાલિકાના TPO સાગઠિયા સાથે ભ્રષ્ટાચારમાં અનેક ભાગીદારો હોવાની ચર્ચા છે. તો એવી પણ ચર્ચા છે કે પૂર્વ પદાધિકારી અને પૂર્વ MLAના આશીર્વાદથી સાગઠિયા ઇન્ચાર્જમાંથી કાયમી TPO બન્યા હતા.

સાગઠિયાને જુલાઇ 2023માં કાયમી બહાલી મળી હતી.આપને જણાવી દઇએ કે, સાગઠિયા 29 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતો હતો. છેલ્લા 9 વર્ષથી સાગઠિયાનું એકહથ્થનું શાસન હતું. સાગઠિયા ટીપી સ્કીમ બનાવવી ગેરકાયદે બાંધકામ, માર્જીનને લગતા પ્રશ્નો અને જમીન ફેરબદલ જેવા કામોમાં ભ્રષ્ટાચાર કરતો હતો. તેની પાસેથી આવક કરતા 410 ટકા વધુ એટલે કે 10.55 કરોડની અપ્રમાણસર સંપતિ પણ મળી આવી છે. હાલ સમગ્ર કેસમાં કાર્યવાહી તેજ કરી દેવાઇ છે.

સાગઠીયાની કેટલી સંપતિ ?

TPO સાગઠિયા પાસે 10.55 કરોડની અપ્રમાણસર મિલકત મળી છે. જે તેની આવક કરતા 410.37 ટકા વધુ મિલકત છે. રાજકોટના સોખડામાં પેટ્રોલ પંપ છે. ગોંડલમાં બાબારી પેટ્રોલ પંપ છે. સોખડામાં ઇન્ડસ્ટ્રિયલ ગોડાઉન ગામેટામાં નિર્માણાધીન હોટલ છે. ગામેટા ગામે વિશાળ ફાર્મહાઉસ ધરાવે છે. ગામેટા અને ચોરડી ગામે જમીન છે. ઉર્જા ઇન્ડસ્ટ્રિયલમાં ગેસ ગોડાઉન છે. તેમજ બાલાજી ગ્રીનપાર્કમાં પ્લોટ છે. અનામીકા સોસાયટીમાં વૈભવી બંગલો છે. મધાપારની આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ છે. આ ઉપરાંત અમદાવાદમાં 2 વૈભવી ફ્લેટ છે. 2 હોન્ડા સિટી સહિત કુલ 6 વાહનો ધરાવે છે. 8 વખત 10 વધુ દેશોમાં પ્રવાસ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *