Mumbai : 50થી વધુ હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે

Mumbai : 50થી વધુ હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે

Mumbai : 50થી વધુ હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે

મંગળવારે ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ મુંબઈની ઘણી હોસ્પિટલોમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે, મેલ મોકલનારએ દાવો કર્યો છે કે હોસ્પિટલોમાં પલંગની નીચે અને બાથરૂમમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. મેઇલ મોકલનારા વ્યક્તિની ઓળખ અને ધમકીનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN) નો ઉપયોગ ધમકીભર્યા ઈમેલ મોકલવા માટે કરવામાં આવ્યો છે.

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી

મુંબઈની 50 થી વધુ હોસ્પિટલોને ધમકીભર્યો મેલ મળ્યો છે. તેમજ સમયે મુંબઈની હિન્દુજા કોલેજ ઓફ કોમર્સને પણ એક ઈમેલ મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઈમેલ Beeble.com નામની વેબસાઈટ પરથી મોકલવામાં આવ્યા છે. ધમકીના સમાચાર મળતાની સાથે જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી.

પોલીસ તપાસમાં જોડાઈ

પોલીસે કહ્યું કે, ધમકીભર્યો મેલ મોકલનારી વ્યક્તિ વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. મેઈલ કરવાનો હેતુ શું છે અને તેને લગતી અન્ય બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. હાલ પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. હિન્દુજા કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સિપાલનું કહેવું છે કે ઈમેલ દ્વારા ધમકી મળી હતી. આ પછી વીપી પોલીસ સ્ટેશન અને તેના મેનેજમેન્ટને માહિતી આપવામાં આવી હતી.

નાગપુર એરપોર્ટ પર પણ ધમકી મળી હતી

અગાઉ નાગપુર એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. નાગપુર એરપોર્ટના અધિકારીઓને આ ઈ-મેલ મળ્યો હતો. આ પછી તરત જ સુરક્ષાની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. અધિકારીઓએ જણાવ્યું કે ધમકીભર્યા મેલને જોતા એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ મામલામાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આગામી 24 કલાક માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. તેણે એ પણ જણાવ્યું કે આ વર્ષે એપ્રિલમાં પણ નાગપુર એરપોર્ટના અધિકારીઓને બોમ્બની ધમકીનો ઈ-મેલ મળ્યો હતો.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *