Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ Video

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ Video

પંચમહાલના પાવાગઢ મંદિરમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ વકર્યો હતો. પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તીર્થકરોની મૂર્તિઓ તોડી નાખવામાં આવી હોવાથી હોબાળો મચી ગયો હતો. આ અંગે સમારકામ ચાલી રહ્યું હોવાના કારણે મૂર્તિઓ ખસેડવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે આજે એટલે કે મંગળવારના રોજ મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી છે.

પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિ હટાવવાનો મામલે તમામ પ્રતિમાઓને પુન:સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રતિમાઓના પુન:સ્થાપન માટે નિષ્ણાંત કારીગરોની મદદ લેવામાં આવી હતી. જિલ્લા ક્લેકટરે આજે મૂર્તિઓ સ્થાપિત કરવાની ખાતરી આપી હતી.

પંચમહાલના પાવાગઢ પોલીસ મથકના PSI એમ.એલ.ગોહિલની બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ બદલીનો હુકમ આપ્યો છે. નવા PSI તરીકે રાજદીપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. તત્કાલિન PSI એમ.એલ.ગોહિલને જાહેર હિતમાં બદલી કરી લીવ રિઝર્વમાં મુકાયા છે.

આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈ ભક્તો, મંદિરમાં ખાસ હોમ હવનનું આયોજન- Video

Related post

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી 400ને પાર, યુકેની ચૂંટણીમાં મોટો ઉલટફેર

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી…

યુનાઇટેડ કિંગડમ (યુકે) માં સામાન્ય ચૂંટણી માટે પડેલા મતોની આજે ગણતરી કરવામાં આવી રહી છે. લેબર પાર્ટીના કીર સ્ટાર્મર અને કન્ઝર્વેટિવ…
Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી- જુઓ Video

Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં…

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક પછી એક પ્રસંગોની…
ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ, જુઓ વીડિયો

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ…

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રા ભરૂચમાં નીકળે છે. અતિ પૌરાણિક હોવાના કારણે અહીં ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્વ પણ ખુબ હોય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *